ટીમ ઇન્ડિયા હાલ પોતાની ફિટનેસને લઇને ખૂબ ગંભીર છે. અત્યાર સુધી પ્લેયર્સનેને યો-યો ટેસ્ટ પાસ કરીને પોતાની ફિટનેસ સાબિત કરવાની હોય છે. આ ટેસ્ટની સાથે સાથે પ્લેયર્સઓનો DNA ટેસ્ટ પણ થઇ રહ્યો છે. જેથી તેમની ક્ષમતા અને દમખમનો સાચો અંદાજ લગાવી શકાય.
આ ટેસ્ટમાં તમામ પ્લેયરની આનુવંશિક ફિટનેસ સ્થિતિ જાણ થાય છે. આ ટેસ્ટથી પ્લેયરને પોતાની ઝડપ વધારવાવજન ઓછું કરવા અને માંસપેશિઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે.
BCCIની ટીમ ટ્રેનર શંકર બાસુની સૂચનથી આ ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. તેમાં DNA ફિટનેસ ટેસ્ટથી 40થી વધારે ઉંમરના વ્યકિતની ફિટનેસસ્વાસ્થ્ય અને પોષણ પર શું અસર પડે છે. આ પછી સંપૂર્ણ વિશ્લેષણ માટે ક્રિકેટરના DNA આંકડાઓની એક વ્યક્તિ વિશેષનું વજન અને ખાણીપીણી સંબંધિત આંકડાઓ સાથે મેળવવામાં આવશે.
અત્યારે સીનિયર નેશનલ ટીમના પ્લેયર્સના શરીરમાં ફેટ પર્સન્ટેજ 23% છેજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવા મોટા ભાગની ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ માટેનો માપદંડ છે. આંકડાઓ એકત્રિત કરવાથી ખબર પડે છે કમોટાભાગના ક્રિકેટર્સને એ વાતની જાણ નથી કે સખ્ત પ્રેક્ટિસ કરવા છતાં પણ કેટલાક ખેલાડીઓના શરીરમાંથી ફેટ એક નિશ્ચિત માત્રા સુધી જ ઓછું થાય છે.
આ DNAએ ટેસ્ટને અપનાવ્યા પછી એક પ્લેયરને જેની મજબૂતાઇ અને ફિટનેસમાં સુધારો થયો છે. તે છે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર.
ભુવી વન ડે અને T-20માં એકધારો રમી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થયાં પછી ભુવનેશ્વરે 19 વન ડે અને 7 T-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યાં છે. તેમનો આનુવંશિક ફિટનેસ રિપોર્ટ તૈયાર થયા પછી નવા ફિટનેસ રૂટિન પછી જ શક્ય બન્યું હતું.
DNA ટેસ્ટ શરીરની ક્ષમતાઓની જાણકારી માટે કરવામાં આવે છે. કોઇ પ્લેયરનું ખાસ પ્રકારનું ડાયટ આ પરથી નક્કી થાય છે. એક્સરસાઇઝનું પણ પ્રભાવી ટેસ્ટ થશે. આ ટેસ્ટથી સ્પષ્ટ થયું છે કે કેટલાક પ્લેયર્સ નાનપણથી જ દૂધ પીતાં હતાં. કારણકે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દૂધથી શરીર મજબૂત થાય છે. પરંતુ જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ થયું કે કેટલાક પ્લેયર્સ લેક્ટોઝને પચાવી શકતા નથી. જે દૂધમાં હોય છે.
BCCIના એક વરિષ્ઠ અધિકારીએ નામ ના જાહેર કરવાની શરતે કહ્યું કે ''હા અમે ભારતીય ક્રિકેટ ટીમ માટે ગત છેલ્લાં સમયથી ડીએનએ ટેસ્ટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે ડીએનએ પરીક્ષણ પહેલા અમેરિકામાં NBA (બાસ્કેટબોલ) અને NFLમાં શરૂં થયું હતું.''