ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ મેચ આવતીકાલે સવારે 9.30 વાગ્યે દિલ્હીમાં છે એવામાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આ વખતે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવા નહીં મળે અને તેની પાછળનું કારણ છે G20 સમિટ અને લગ્નની સીઝન.
ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ મેચ આવતીકાલે સવારે 9.30 વાગ્યે
ખેલાડીઓને આ વખતે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલ ન મળી
બીસીસીઆઈના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 17 ફેબ્રુઆરીથી રમાશે. જણાવી દઈએ કે ભારતીય ટીમે પહેલી મેચ એક ઇનિંગ અને 132 રને જીતી લીધી હતી એવામાં હવે હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય બીજી મેચ જીતીને સીરિઝમાં 2-0થી લીડ લેવાનું રહેશે. નોંધનીય છે કે ભારતીય સમય અનુસાર બીજી ટેસ્ટ મેચ આવતીકાલે સવારે 9.30 વાગ્યે શરૂ થશે.
ખેલાડીઓને આ વખતે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલ ન મળી
આ બધા વચ્ચે મેચ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ ભારતીય ટીમના ખેલાડીઓને આ વખતે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવા નહીં મળે અને તેની પાછળનું કારણ છે G20 સમિટ અને લગ્નની સીઝન. આ બધાને કારણે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલ પહેલાથી જ બુક થઈ ગઈ હતી. આ કારણે બીસીસીઆઈએ છેલ્લી ઘડીએ ખેલાડીઓને અન્ય જગ્યાએ રોકાવવા માટે આયોજન કર્યું છે.
બીસીસીઆઈના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી
સામાન્ય રીતે દરવખતે ટીમ ઈન્ડિયા દિલ્હીની તાજ પેલેસ કે આઇટીસી મૌર્યામાં રોકાઈ છે પણ આ વખતે તેઓ નોઇડા પાસે આવેલ હોટેલ લીલામાં રોકાયા છે. બીસીસીઆઈના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી કરતાં કહ્યું હતું કે, 'હોટલ લીલામાં આપવામાં આવતી સુવિધાઓ સારી છે. જો કે અનિવાર્ય કારણોસર હોટેલમાં ફેરફારો કરવામાં આવ્યા હતા અને અમે ઘણો વિચાર કર્યા પછી હોટેલને શિફ્ટ કરવાનું નક્કી કર્યું હતું.'
વિરાટ કોહલી ન રહ્યો એ હોટેલમાં
જણાવી દઈએ કે વિરાટ કોહલી ટીમ સાથે નથી રહ્યો અને તે ગુરુગ્રામમાં જ રોકાયો છે. કોહલીએ તેના પરિવારના સભ્યો સાથે સમય વિતાવવા માટે ગુરુગ્રામમાં તેના ઘરે રહેવાનું પસંદ કર્યું. જો કે આ માટે તેને ટીમ મેનેજમેન્ટની પરવાનગી લેતા કહ્યું હતું કે ભારત લાંબા સમય પછી દિલ્હીમાં ટેસ્ટ મેચ રમી રહ્યું છે તો એ સમયમાં કોહલી દિલ્હી-NCRમાં પોતાના પરિવાર સાથે રહેવા માંગે છે.
દિલ્હીમાં ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત!
ભારતીય ટીમ જે પ્રકારના ફોર્મમાં છે તેના કારણે દિલ્હીમાં તેની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો જોવામાં આવે તો ભારત 1987 બાદ દિલ્હીમાં એકપણ ટેસ્ટ મેચ હારી નથી. જણાવી દઈએ કે ભારતે દિલ્હીમાં 34 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 13માં જીત અને માત્ર છમાં હાર થઈ છે. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ દિલ્હીમાં કુલ 7 ટેસ્ટ મેચ રમી ચુકી છે અને 1959 પછી તે અહીં એક પણ મેચ જીતી શકી નથી.
🚨 NEWS 🚨: Shreyas Iyer to join India squad for Delhi Test. #TeamIndia | #INDvAUS