રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને એક એવો ખેલાડી મળી ગયો છે, જે તેને લગભગ દરેક મેચમાં જીત અપાવી શકે છે. આ ખેલાડી પોતાના બેટીંગથી તોફાન મચાવવા માટે ઓળખાય છે. આ બેટર જેવો પિચ પર પગ મુકે છે, તે પોતાની તોફાની બેટીંગથી ભારતીય ટીમને હારેલી બાજી પણ જીતાડી દે છે.
ભારતીય ટીમના ચોથા ક્રમના બેટરની ટેન્શન થઇ દૂર
રોહિત શર્માને મળ્યો યુવરાજ જેવો વિસ્ફોટક ખેલાડી
આ ખેલાડી રોહિત શર્માનો પણ ફેવરિટ બન્યો
આ ખેલાડીના રૂપમાં ભારતીય ટીમને ચોથા ક્રમનો બેટર પણ મળ્યો છે, જેની તેમને વર્ષોથી તલાશ હતી. આ ખેલાડી હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો પણ ફેવરિટ બની ગયો છે, જેનુ કારણ આ બેટરનુ શાનદાર પ્રદર્શન છે.
ભારતીય ટીમના ચોથા ક્રમના બેટરની ટેન્શન થઈ દૂર
ટીમ ઈન્ડિયા મિશન ટી-20 વર્લ્ડ કપ 2022ની તૈયારીઓમાં જોડાઈ છે. ભારતીય ટીમની હવે ચોથા ક્રમના બેટરની ચિંતા પણ દૂર થઇ રહી છે. કારણકે સુર્યકુમાર યાદવના રૂપમાં ટીમને ચોથા ક્રમનો બેટર પણ મળી ગયો છે. તોફાની બેટર સૂર્ય કુમાર યાદવ હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો ફેવરિટ બની ગયો છે. સૂર્ય કુમાર યાદવ ટી-20 વર્લ્ડ કપ 2022 માટે અત્યંત જરૂરી છે. સૂર્ય કુમાર યાદવ ટોપ ઓર્ડરમાં બેટીંગ કરતા જોવા મળશે.
મેચ જીતાડવા માટે મળ્યો યુવરાજ જેવો ખેલાડી
સૂર્ય કુમાર યાદવનુ મેચ વિનર તરીકે ચમકવુ ભારતીય ટીમના મિશન ટી-20 વર્લ્ડ કપ 2022 અને વર્લ્ડ કપ 2023 માટે મોટી રાહત આપે છે. બેટીંગ દરમ્યાન સૂર્ય કુમાર યાદવનો સ્ટ્રાઈક રેટ સારો રહે છે. સૂર્ય કુમાર યાદવ ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2022માં એ જ રીતે ભારતીય ટીમને ટ્રોફી અપાવી શકે છે, જેવી રીતે યુવરાજ સિંહે 2011ના વર્લ્ડ કપમાં ભારતને 28 વર્ષ બાદ ચેમ્પિયન બનાવ્યું હતુ.
તબાહી મચાવે છે આ ઘાતક ખેલાડી
રોહિત શર્માએ કેપ્ટનશિપ સંભાળ્યાં બાદ આ ખેલાડીને સતત તક આપવાની શરૂઆત કરી અને આ જાંબાઝ ક્રિકેટર દરેક મેચમાં ભારતીય ટીમને જીત અપાવી રહ્યો છે. સૂર્ય કુમાર યાદવે વન-ડે અને ટી-20 ક્રિકેટ ફોર્મેટમાં પોતાનુ સ્થાન પાક્કુ કર્યુ છે. સૂર્ય કુમાર યાદવ ભારતીય ટીમ માટે 7 ODI અને 14 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે. વન-ડે ક્રિકેટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૂર્ય કુમાર યાદવે પોતાની ક્ષમતાના આધારે ધમાકેદાર બેટીંગથી ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે.