ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી વનડે સીરીઝ માટે ભારતીય ટીમની શુક્રવારે જાહેરાત થઇ ચૂકી છે. બીસીસીઆઈએ ટ્વિટ કરીને 18 પ્લેયર્સની જાહેરાત કરી છે.
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટી-20માં અડધી સદી ફટકારનારા સૂર્યકુમાર યાદવને વનડે ટીમમાં જગ્યા મળી છે. મહત્વનું છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે ચોથી ટી-20 મેચ ભારતે જીતી લીધી છે. ભારત આ મેચને 8 રનથી જીતી ચૂક્યું છે, બંને ટીમો સિરીઝમાં 2-2 થી બરાબર છે શ્રેણી હજુ જીવંત છે. હવે શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ શનિવારે રમાશે. ત્યારે હવે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ 23 માર્ચે રમાશે. નક્કી કાર્યક્રમ મુજબ સીરીઝી ત્રણેય વનડે પૂર્ણના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 23,26,28 માર્ચ હશે. ત્રણ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે.