ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બુધવારથી શરૂ થતી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં રમવાની ના પાડી દીધી છે. વડોદરા ક્રિકેટ એસોસિએશને આ વખતે પંડ્યાને ઈ-મેલ મોકલીને આ વખતે ટ્રોફીમાં ભાગ લેવાનું પૂછ્યુ હતુ. જેના જવાબમાં પંડ્યાએ સ્પષ્ટ રીતે પોતે પસંદગી માટે તૈયાર નથી તેવુ જણાવ્યું.
હાર્દિક પંડ્યાએ વિજય હજારે ટ્રોફીમાં રમવાનો કર્યો ઈન્કાર
વડોદરા ક્રિકેટ એસોસિએશને પંડ્યાને મોકલ્યો હતો ઈ-મેલ
પંડ્યાએ ફિટનેસનું કારણ આગળ ધરી રમવાની ના પાડી
ફિટનેસને જણાવ્યું કારણ
જ્યારે હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ વડોદરા ક્રિકેટ ટીમનો કેમ્પ જોઈન કર્યો છે અને તેઓ આ વખતે ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આખરે પંડ્યાએ આ ટુર્નામેન્ટમાં પાછળ હટવાનો નિર્ણય કેમ લીધો. આવો જાણીએ.. હાર્દિક પંડ્યાએ બરોડા ક્રિકેટ એસોસિએશનને જણાવ્યું કે તેઓ અત્યારે મુંબઈમાં વસવાટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા લાંબા સમયથી ફીટનેસના કારણે બોલિંગ કરી શકતા નથી. ફિટનેસના કારણે આઈપીએલ 2021માં તેમણે બોલિંગ કરી નથી. ટી 20 વિશ્વ કપની કેટલીક મેચમાં તેમણે બોલિંગ કરી પરંતુ ખાસ કશું થયુ નહીં. જેના કારણે ભારતીય ટીમમાં તેમની જગ્યા સંકટમાં આવી રહી છે. હાર્દિક અત્યારે બોલિંગમાં પાછા આવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યાં છે. જેના કારણે ટીમમાં તેની વાપસી થઇ શકે.
વિજય હજારે ટ્રોફીનું શેડ્યુલ
વિજય હજારે ટ્રોફી 8 ડિસેમ્બરથી 27 ડિસેમ્બરની વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં 6 અલગ-અલગ ગ્રુપમાં 38 ટીમો ભાગ લેશે. દેશના સાત શહેરોમાં આ ટુર્નામેન્ટની મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં ઘણાં સીનિયર ખેલાડી પણ છે. આ સિવાય દેશના ખેલાડીઓની પાસે પોતાની પ્રતિભા સાબિત કરી નેશનલ ટીમમાં સ્થાન બનાવવા માટે સારું પ્લેટફોર્મ છે.