ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે ત્રણ મેચોની વન-ડે શ્રેણીની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થઇ રહી છે. વન-ડે શ્રેણી બાદ ત્રણ મેચોની ટી-20 શ્રેણી પણ રમવામાં આવશે. વેસ્ટ ઈન્ડીઝ સામે પ્રથમ ત્રણ વન-ડે મેચ 6,9 અને 11 ફેબ્રુઆરીએ જ્યારે ટી-20 મેચ 16,18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે 6 ફેબ્રુઆરીથી વન-ડે શ્રેણીની શરૂઆત
વન-ડે શ્રેણી પહેલા ભારતીય ટીમના 4 ખેલાડીઓ કોરોના પોઝીટીવ આવ્યાં
BCCI એ અચાનક મયંક અગ્રવાલનો ભારતીય ટીમમાં સમાવેશ કર્યો
BCCIનો નવો દાવ
આ વન-ડે શ્રેણી પહેલા ભારતીય ટીમના 4 ખેલાડીઓ કોરોના પોઝીટીવ આવ્યાં છે. ઓપનિંગ બેટર શિખર ધવન, રિઝર્વ ઓપનિંગ બેટર ઋતુરાજ ગાયકવાડ, મધ્ય ક્રમના બેટર શ્રેયસ ઐયર અને ફાસ્ટ બોલર નવદીપ સૈની કોરોના પોઝીટીવ આવ્યાં છે. ભારતીય ટીમના બે ઓપનરો કોરોના પોઝીટીવ આવ્યાં બાદ એક ખતરનાક બેટરને અચાનક ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
અચાનક ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની થઈ એન્ટ્રી
BCCI એ નવી યુક્તિ અજમાવતા અચાનક મયંક અગ્રવાલનો ભારતીય ટીમમાં સમાવેશ કર્યો છે. વેસ્ટ ઈન્ડીઝ સામે મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને 31 જાન્યુઆરીએ અમદાવાદમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતુ. ત્યારબાદ બધાનો આરટીપીસીઆર ટેસ્ટ થયો હતો અને ઘરમાંથી નિકળતા પહેલાં બધાને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતુ.
ધવન સહિત ઘણા ખેલાડી કોરોના પોઝીટીવ
બીસીસીઆઈએ પત્રકાર પરિષદ જાહેર કરી જણાવ્યું છે કે બેટર શિખર ધવન અને ફાસ્ટ બોલર નવદીપ સૈનીનો સોમવારે 31 જાન્યુઆરીએ આરટી-પીસીઆર ટેસ્ટ થયો હતો. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બેટર ઋતુરાજ ગાયકવાડનો સોમવારે કોરોના ટેસ્ટ થયો હતો. જેમાં તેઓ નેગેટીવ આવ્યાં હતા. પરંતુ મંગળવારે બીજા રાઉન્ડના કોરોના ટેસ્ટમાં પોઝીટીવ આવ્યાં હતા.