ભારતના દિગ્ગજ વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની 15 દિવસો સુધી જમ્મૂ-કાશ્મીરમાં સૈનિકો સાથે રહેશે. ધોની 31 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી સૈનિકોની ગતિવિધિઓથી જોડાયેલા રહેશે. આ દરમિયાન એમણે 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા)ની સાથે સમય વિતાવશે.
આ યૂનિટ કાશ્મીરમાં તૈનાત છે અને વિક્ટર ફોર્સનો ભાગ છે. ધોની આ દરમિયાન પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યૂટી કરશે. 38 વર્ષના ધોનીએ બીસીસીઆઇને પહેલા જ કહ્યું હતું કે તે બે મહીના માટે કોઇપણ પ્રકારની ક્રિકેટ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
ધોનીએ કહ્યું હતું કે સૈનિકો સાથે સમય વિતાવશે. ધોની વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે પણ ટીમ ઇન્ડિયાનો ભાગ નથી. પૂર્વ ભારતીય કેપ્ટનને 2011માં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ રેન્ક સોંપવામાં આવી હતી. ત્યારથી માત્ર એકવાર ધોનીને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
આઇપીએલમાં તેમનું લાંબુ સત્ર રહ્યું હતું અને ઇજાગ્રસ્ત થવા છતા વર્લ્ડ કપમાં રમ્યા હતા. તેથી હવે એમને લાગી રહ્યું છે કે તેમના માટે બ્રેક લેવો મહત્વપૂર્ણ છે. જે બાદ એમણે સૈનિકો સાથે રહેવાનો નિર્ણય લીધો.
મહેન્દ્ર સિંહ ધોની ટૈરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટિનેન્ટ કર્નલ છે. ધોનીના વેસ્ટઇન્ડિઝ ટૂરથી દૂર રહેવાની ખબરની સાથે જ તેમના સન્યાસના સમાચારો આવી રહ્યા હતા. જોકે, કેપ્ટન વિરાટ કોહીલએ સ્પષ્ટતા કરી હતી કે ધોની ભવિષ્યને લઇને ટીમ મેનેજમેન્ટને તેમના તરફથી કોઇ જાણકારી મળી નથી.
નજીકના સૂત્રો અનુસાર, જેવી રીતે ધોની ભારતીય ક્રિકેટના મહાન સેવકોમાંથી એક છે, એમ સેના માટે તેમનો પ્રેમ જગ જાહેર છે. તે લાંબા સમયથી પોતાની રેજિમેન્ટ સાથે સમય વિતાવવા વિશે વિચારી રહ્યા હતા. પરંતુ ક્રિકેટના કારણે એમ કરી શક્યા નહોતા.
કાશ્મીર ખીણમાં તેમનુ યૂનિટ દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં વિક્ટર ફોર્સનો ભાગ છે, જે ગત કેટલાક વર્ષોથી આંતકવાદી ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે. ધોની 2015માં ક્વોલિફાઇડ પેરાટ્રુપર બન્યા. એમણે આગ્રા સ્થિત ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગના રૂપે આર્મીના વિમાનથી પાંચ વાર પેરાશૂટની સાથે છલાંગ લગાવી હતી.