ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 12 રને જીત મેળવી હતી પણ આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ભૂલ પણ કરી હતી.
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રોહિત શર્માએ મેચમાં કરી આ ભૂલ
ટીમ ઈન્ડિયા પર લાગ્યો 60 ટકા દંડ
ટીમ ઈન્ડિયાએ 12 રને મેચ જીતી
ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં જીત સાથે શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે આ સીરિઝની પહેલી મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ 12 રને જીત મેળવી હતી. આ સાથે જ સીરિઝની પહેલી મેચમાં શુભમન ગિલે 208 રનની બેવડી સદીની શાનદાર ઇનિંગ રમી હતી.
રોહિત શર્માએ મેચમાં કરી આ ભૂલ
આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ભૂલ કરી હતી. એ ભૂલ હતી ધીમી ઓવર રેટની ભૂલ, એટલે કે ભારતીય ટીમે નિર્ધારિત સમયમાં ત્રણ ઓવર ઓછી કરી હતી અને એ જ કારણે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તે મેચ માટે ટીમ ઈન્ડિયાને દંડ ફટકાર્યો છે.
ટીમ ઈન્ડિયા પર લાગ્યો 60 ટકા દંડ
જણાવી દઈએ કે સ્લો ઓવર રેટના નિયમ હેઠળ હવે ભારતીય ટીમને મેચ ફીના 60 ટકા દંડ ભરવો પડશે અને ICC આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ ટીમના ખેલાડીઓએ દરેક ઓવર માટે દંડ તરીકે 20 ટકા ચૂકવવો પડશે. આ બધા પાછળનું એક કારણ એ છે કે ટીમે નિર્ધારિત સમયમાં ત્રણ ઓવર નહતી કરી અને એ મુજબ આ દંડ 60 ટકા થઈ જાય છે. અમીરાત આઈસીસી એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથે આ વિશે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ ત્રણ ઓવર ઓછી કરી છે અને ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે એટલા માટે હાલ કોઈ પણ સુનાવણીની જરૂર રહેશે નહીં.
🚨 JUST IN: India have been fined for maintaining a slow over-rate in the first #INDvNZ ODI.
ટીમ ઈન્ડિયાએ 12 રને મેચ જીતી
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી મેચ ઘણી રોમાંચક રહી હતી અને ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે શુભમન ગિલે 208 રનની ઇનિંગ રમી હતી. જો કે ગિલની બેવડી સદી સિવાય બીજા કોઈ બેટ્સમેન 50 રન સુધી પણ પહોંચી શક્યો નહતા. 350 રનના ટાર્ગેટના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. માઈકલ બ્રેસવેલે 140 રનની ઈનિંગ રમી હતી પણ તે ન્યૂઝીલેન્ડને જીત અપાવી શક્યો નહોતો.