મહત્વનું છે કે, આ ફોટામાં તમામ ખેલાડીઓ એકદમ ખુશ દેખાઈ રહ્યાં હતાં.વિરાટની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં આઠમી શ્રેણી રમશે અને અહીં જીતના દુષ્કાળનો અંત લાવવા નું વિચારશે. વિરાટે પ્રવાસ માટે રવાના થયા પહેલા હુંકાર ભરી છે અને કહ્યું છે કે અમે આ વખતે કંઈક ખાસ લઈને પાછા ફરીશું.
જોહાનિસબર્ગમાં ક્વોરેન્ટાઈનના નિયમો ખુબ સખત છે.
દક્ષિણ આફ્રિકામાં કોવીડ-19ના ઓમિક્રોન વેરિયન્ટના ખતરા વચ્ચે ઈન્ડિયન ક્રિકેટ ટીમને જોહાનિસબર્ગમાં ક્વોરેન્ટાઈનના કડક નિયમો અને પ્રતિબંધોમાંથી પસાર થવું પડશે. એક રિપોર્ટ અનુસાર ટીમ માત્ર એક જ દિવસ એકલતામાં વિતાવી શકશે. આ દરમિયાન ત્રણ વખત તેઓની તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ જ ખેલાડીઓ અને સ્ટાફને બાયો સિક્યોર વાતાવરણમાં લઈવાશે
ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ સિરીઝ રમાશે
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા જોહાનિસબર્ગમાં 26 ડિસેમ્બરથી ત્રણ ક્રિકેટ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. જેમાં બંને ટીમોની પહેલી મેચ સેન્ચુરિયનમાં રમાશે ત્યાર બાદ બીજી અને ત્રીજી મેચ ક્રમશઃ જોહાનિસબર્ગમાં અને કેપટાઉનમાં 3 થી 11 જાન્યુઆરીની વચ્ચે રમાશે
પ્રવાસ પહેલા વિરાટ કહોલીએ હુંકાર ભર્યો હતો.
"સાઉથ આફ્રિકા એક એવીજગ્યા છે જ્યાં અમે હજુ સુધી એક પણ શ્રેણી જીતી શક્યા નથી. તેથી અમે તે કરવા માટે પ્રેરણાથી ભરેલા છીએ. અમારી માનસિકતા હંમેશાં એવી જ હોય છે કે, અમે દરેક મેચ દેશ માટે રમીએ છીએ. અમે એક ટીમ તરીકે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું અને ખાતરી કરીશું કે અમે તેમાં ફાળો આપવાનું ચાલુ રાખીશું. '