આજે અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમ સ્વર્ગસ્થ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી બાંધીને ઉતરી હતી.
આજે અમદાવાદમાં ભારતની 1000 મી મેચ
ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને રમવા ઉતરી
લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલિ
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઐતિહાસિક મેચ રમાઈ રહી છે. આ મેચ ભારતની 1000 મી વનડે મેચ હોવાથી તે અનેક્ રીતે વિશેષ છે. પરંતુ દેશના જાણીતા ગાયક અને સ્વરકોકિલા લત્તા મંગેશકરની વિદાયના કારણે ટીમ ઈન્ડિયામાં પણ શોકનો માહોલ છે.
ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા મેચની શરૂઆત પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ બાંધી કાળી પટ્ટી બાંધીને ગ્રાઉન્ડમાં ઉતરવાનું નક્કી કર્યું હતું. BCCI દ્વારા આ ઘટનાની ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી.
The Indian Cricket Team is wearing black armbands today to pay their respects to Bharat Ratna Lata Mangeshkar ji who left for her heavenly abode on Sunday morning. The queen of melody, Lata didi loved cricket, always supported the game and backed Team India. pic.twitter.com/NRTyeKZUDc
ભારત તથા વેસ્ટઇન્ડીઝ વચ્ચે રણ મેચની વનડે સીરીઝની પહેલી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે આ મુકાબલામાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની આ 1000મી વનડે મેચ છે. ભારત માટે હુપક હુડા આ મેચમાં વનડે ડેબ્યૂ કરી રહ્યા છે.
સૌ કોઇ જાણે છે કે લતા દીદી પણ ક્રિકેટના જબરા શોખીન હતા.
લતા મંગેશકર (Lata Mangeshkar) ગાયિકી સિવાય ક્રિકેટમાં પણ ખાસ દિલચસ્પી રાખતા હતા. સુરોની મલ્લિકા પોતાના ખાલી સમયમાં તો રિયાઝ કરતા હતા કે પછી પોતાની પસંદીદા ક્રિકેટ મેચ જોવાનું પસંદ કરતા હતા. લતાજી 1983માં લોર્ડ્સનાં મેદાનમાં થયેલ ગૌરવશાળી વર્લ્ડ ક્રિકેટ કપની જીતના સાક્ષી પણ રહ્યા છે. આ પરથી તમે સમજી શકો છો કે કેટલી હદ સુધી તેમને ક્રિકેટ પસંદ હતું. ઇન્ડિયન ક્રિકેટ ટીમને તેમણે હોસ્લો આપ્યો હતો તથા મેચના રોમાંચક ક્ષણોમાં તણાવમાં પણ આવી ગયા હતા. આવો, જણાવીએ વર્ષો જૂની ક્રિકેટ તથા સૂરની લવ સ્ટોરી
લતા મંગેશકર તથા '83' નાં આંખે જોયેલ હાલ
ભારતના પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે ખુદ દર્શક દીર્ઘમાં બેસીને તાળીઓ વગાડતા 1983નાં એ રોમાંચક પળોને જીવ્યા હતા. બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યુમાં લતાએ કહ્યું હતું કે 'તણાવથી ભરેલ માહોલ હતો, પરંતુ જેમ જેમ મેચનો અંતનો પડાવ આવવા લાગ્યો, મને ભારતની જીત પર પૂરો ભરોસો થઇ ગયો હતો. જોકે ક્રિકેટમાં કઈ કહી ન શકાય કે ક્યારે મેચ પલટી જાય.'