ભારતીય ટીમે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 222 રનથી હરાવી દીધુ. આ સાથે ભારતીય ટીમે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી જીત પ્રાપ્ત કરી લીધી છે. રોહિતે ટેસ્ટના કેપ્ટન તરીકે જીતનો પ્રારંભ કર્યો છે. આ મેચમાં રોહિતે ઘણા રેકોર્ડ બનાવ્યાં.
ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 222 રનથી હરાવી દીધુ
ભારતીય ટીમે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી જીત પ્રાપ્ત કરી
રોહિત શર્મા કેપ્ટન તરીકે એક રેકોર્ડ પોતાના નામે કર્યો
રોહિતે બનાવ્યો ખાસ રેકોર્ડ
રવિન્દ્ર જાડેજા માટે આ મેચ ખૂબ જ રસપ્રદ રહી. જાડેજાએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ રમી. તો વિરાટ કોહલીએ પણ તેની કારકિર્દીમાં 100 ટેસ્ટ મેચ પૂર્ણ કર્યા. આ મેચમાં રોહિત શર્માએ કેપ્ટન તરીકે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે વિરાટ પણ પૂર્ણ કરી શક્યા નથી અને ધોની પણ નોંધાવી શક્યા નથી. રોહિત શર્મા કેપ્ટન તરીકે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે અને ઘણા રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. રોહિત શર્માની ફૂલ ટાઈમ કેપ્ટન તરીકે આ પ્રથમ ટેસ્ટ મેચ હતી. આ મેચમાં જીતની સાથે રોહિતે કેપ્ટન ડેબ્યુમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. રોહિત પાલી ઉમરીગર બાદ બીજા એવા ભારતીય સુકાની બન્યા છે, જેણે તેમની પ્રથમ ટેસ્ટ સારા અંતરથી જીતી હોય. મોહાલી ટેસ્ટમાં શ્રીલંકા સામે આખી મેચમાં ભારતનો દબદબો રહ્યો છે. ઉમરીગરની આગેવાનીમાં 1955માં ભારતીય ટીમે સારા અંતરથી જીત પ્રાપ્ત કરી હતી. આ મેચમાં ઉમરીગર ભારતીય ટીમની આગેવાની કરી રહ્યાં હતા.
જાડેજા-અશ્વિનના નામે પહેલી ટેસ્ટ
પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને કપિલ દેવના બે મોટા રેકોર્ડ તોડી નાખ્યાં. પહેલા જાડેજાએ સાતમા નંબરે આવીને નોટઆઉટ રહીને 175 રનની ઈનિંગ રમી અને આ નંબર ભારત માટે સૌથી મોટી ઈનિંગ રમનારા બેટ્સમેન બની ગયા. તેમની પહેલા કપિલ દેવે શ્રીલંકા સામે કાનપુરમાં 163 રન બનાવ્યાં હતા. ત્યારબાદ અશ્વિને સૌથી વધુ વિકેટ લેવા મામલે કપિલ દેવને પાછળ ધકેલી દીધા. અશ્વિન ટેસ્ટમાં 436 વિકેટ લઇ ચૂક્યા છે. જ્યારે કપિલ દેવના નામે 434 વિકેટ છે.