ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ શરૂ થવામાં હવે માત્ર 20 દિવસનો સમય વધ્યો છે. એવામાં ભારતીય ખેલાડીઓએ અત્યારથી પોતાની નબળાઈ પર કામ કરવુ પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની દ્રષ્ટિએ આ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ મહત્વની છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થવામાં માત્ર 20 દિવસ બાકી
ભારતીય ખેલાડીઓએ અત્યારથી પોતાની નબળાઈ પર કામ કરવુ પડશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થવામાં માત્ર 20 દિવસ બાકી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન ચાર ટેસ્ટ મેચની સીરીઝનુ આયોજન થવાનુ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021-23ના ફાઈનલમાં પહોંચવાની દ્રષ્ટિએ આ બૉર્ડર-ગાવસ્કર શ્રેણી ઘણી મહત્વની છે. બંને દેશોની વચ્ચે આ સીરીઝની પહેલી ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાવાની છે. એટલેકે ટેસ્ટ શ્રેણી શરૂ થવામાં આશરે 20 દિવસનો સમય બચ્યો છે. એવામાં ભારતીય ખેલાડીઓએ અત્યારથી પોતાની નબળાઈઓ પર કામ કરવુ પડશે. આ ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ સામે અમુક પડકારો પણ રહેશે.
સ્ટીવ સ્મિથનો સામનો કરવો: ભારતીય ટીમ માટે સ્ટીવ સ્મિથ માથાનો દુ:ખાવો સાબિત થતા આવ્યાં છે. સ્મિથનો ભારતીય ટીમ સામે રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તેમણે 14 ટેસ્ટ મેચમાં આઠ સદીની મદદથી 1742 રન બનાવ્યાં છે. આ દરમ્યાન તેમની એવરેજ 72.58ની રહી છે. આની પહેલા જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ સીરીઝ રમવા ભારત આવી હતી તો સ્મિથે ત્રણ સદીની મદદથી 499 રન બનાવ્યાં હતા. સ્મિથનુ ફોર્મ અત્યારે વેગમાં છે અને તેમણે સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ બિગબેશ લીગમાં પણ સદી ફટકારી છે.
વિરાટનુ ટેસ્ટ ફોર્મ: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વન-ડેમાં ખૂબ ધમાલ મચાવી રહ્યાં છે પરંતુ તેમનુ ટેસ્ટ ક્રિકેટમાં કંગાળ ફોર્મ સામે આવ્યું છે. કોહલીએ 2019 બાદ ટેસ્ટમાં સદી ફટકારી નથી. બાંગ્લાદેશ સામે ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી બે મેચની શ્રેણીમાં માત્ર 45 રન બનાવી શક્યા હતા. વિરાટ કોહલીને રવિ શાસ્ત્રીએ પણ સુચન કર્યુ છે કે તેઓ ન્યુઝીલેન્ડ સામે ત્રીજી વન-ડે રમવાના બદલે એક ફર્સ્ટ ક્લાસ મેચ રમે. તેથી ટેસ્ટ મેચ માટે મોમેન્ટમ પ્રાપ્ત કરી શકાય.
નાથન લિયોનનો ઑફ સ્પિન: ભારતીય બેટરો માટે ઑફ સ્પિનર નાથન લિયોન સામે લડવુ એક મોટો પડકાર હશે. ભારતીય પિચો પર અનુભવી નાથન લિયોન ઘણા ખતરનાક સાબિત થઇ રહ્યાં છે. નાથન લિયોને ભારતની 7 ટેસ્ટ મેચમાં કુલ 34 વિકેટ લીધી છે. ટીમ મેનેજમેન્ટે 35 વર્ષીય નાથન લિયોન સામે ખાસ રણનીતિ બનાવવી પડશે. આમ થવાથી કાંગારૂ ટીમ સામેનો રસ્તો સરળ થઇ શકે છે.