ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે. ઈંગ્લેન્ડ પ્રવાસ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ મહત્વનો છે, કારણકે ઈંગ્લેન્ડનો પ્રવાસ ભારતના 4 ખેલાડીયો પાસે ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન સાબિત કરવા માટે છેલ્લી તક છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી થશે શરૂ
4 ખેલાડીઓનું પ્રદર્શન તેમનું ભવિષ્ય નક્કી કરશે
ઈંગ્લેન્ડનો આ પ્રવાસ ભારતીય ક્રિકેટ ટીમ માટે મહત્વપૂર્ણ
વિરાટ કોહલીના નેતૃત્વ હેઠાડની ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC)ફાઇનલમાં 8 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. હવે ભારતીય ટીમ આ હાર ભુલાવીને ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચ શ્રેણીની તૈયારી કરી રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે ઇંગ્લેન્ડનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે, આવી સ્થિતિમાં સતત બીજી હાર 4 ખેલાડીઓને ભારે પડી શકે છે. આ 4 ખેલાડીઓનું પ્રદર્શન તે નક્કી કરશે કે ટેસ્ટ ક્રિકેટમાં તેમનું ભવિષ્ય શું રેહશે.
ચેતેશ્વર પૂજારા
ચેતેશ્વર પૂજારાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઈનલની પ્રથમ ઇનિંગમાં 8 રન અને બીજી ઇનિંગમાં 13 રન બનાવ્યા હતા. પૂજારાના આ ખરાબ પ્રદર્શન બાદ તેની કારકિર્દી મુશ્કેલીમાં પડી ગઈ છે. વિરોધી ટીમ ઉપર પ્રભુત્વ મેળવવા માટે ડિફેંસિવ હોવાના બદલે રન બનાવવાની જરૂર વધારે હોય છે, પરંતુ પુજારાની બેટિંગમાં કોઈ તાકાત દેખાઈ નહોતી. બેટિંગનો ટોપ ઓર્ડર ભારતીય ક્રિકેટ ટીમની તાકાત છે, જે ટેસ્ટ મેચોમાં સતત ફ્લોપ થયું રહે છે. હવે ત્રીજા નંબરના સ્થાન પર પૂજારાના અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ચેતેશ્વર પૂજારાએ છેલ્લે બે વર્ષ પહેલા 2018માં ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં સદી ફટકારી હતી. ત્યારબાદ પૂજારાએ સિડનીમાં 193 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ તેણે એક પણ સદી ફટકારી નથી, જે ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે.
શુબમન ગિલ
શુબમન ગિલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલની પ્રથમ ઇનિંગ્સમાં 28 અને બીજી ઇનિંગમાં 8 રન બનાવ્યા હતા. રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા છે. ઓપનિંગના બેટ્સમેનો વેહલા આઉટ થઈ જવાથી મેચ જીતવાનો સંપૂર્ણ દબાણ મિડલ ઓર્ડર પર આવી જે છે. ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની નિષફળતાના કારણે મિડલ ઓર્ડર પણ સંપૂર્ણ રીતે બરબાદ થઈ રહ્યો છે. શુબમન ગિલના નબળા બેટિંગ પ્રદર્શનના કારણે ટેસ્ટ ટીમમાં તેની જગ્યા અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. શુબમન ગિલે તેની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધી 8 મેચમાં 414 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 31.84 રહી હતી. શુબમન ગિલનો ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. ઓપનિંગમાં શુબમન ગિલની જગ્યાએ મયંક અગ્રવાલ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
ઋદ્ધીમાન સાહા
મહેન્દ્રસિંહ ધોનીના ટેસ્ટ મેચમાંથી નિવૃત્ત થયા બાદ ઋદ્ધીમાન સાહા તેમની જગ્યાએ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. વૃદ્ધિમાન સાહા સતત ભારતીય ટેસ્ટ ટીમ સાથે સંકળાયેલા છે. સાહાને છેલ્લી કેટલીક ટેસ્ટ શ્રેણીમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં તક મળતી રહી નથી, કારણ કે રીષબ પંત વિકેટકીપિંગમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. જો કે આ વખતે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઋદ્ધીમાન સહાને ટીમમાં સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં સાહા ભારત તરફથી 38 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. સાહા હાલમાં 36 વર્ષનો છે. જો સાહાએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન ન દર્શાવ્યું તો તેની માટે ઇંગ્લેન્ડનો આ પ્રવાસ તેનો અંતિમ પ્રવાસ હોઈ શકે છે.
ઉમેશ યાદવ
ભારતીય ક્રિકેટને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા શ્રેષ્ઠ ઝડપી બોલરસ મળ્યા છે. આ યુવા ઝડપી બોલરોએ ઉમેશ યાદવની કારકિર્દી પર ઘણી અસર કરી છે. ઉમેશ યાદવ ધીરે ધીરે મર્યાદિત ઓવરની ટીમમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ ગયા છે. પરંતુ તે હજી પણ ભારતની ટેસ્ટ ટીમનો ભાગ છે. ઉમેશ યાદવને ભારતીય ટેસ્ટ ટીમમાં રમવા માટેની સતત તક આપવામાં આવી રહી છે, પરંતુ તે તેના નબળા પ્રદર્શનના કારણે પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શક્યો નથી. હવે આવી સ્થિતિમાં, ઉમેશ યાદવ ભલે આ વખતે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, પરંતુ 48 મેચો રમેલા 33 વર્ષીય ઉમેશ યાદવ માટે ઈંગ્લેન્ડનો આ પ્રવાસ છેલ્લો સાબિત થઈ શકે.