દરેક ક્રિકેટરની તમન્ના હોય છે કે તે પોતાના દેશ માટે ક્રિકેટના ત્રણ ફોર્મેટ્સમાં રમે, પરંતુ ઘણા ઓછા ખેલાડીઓ એવા હોય છે જેમને આવો મોકો મળે છે.
આ પ્લેયરોનું ખતમ થઈ શકે કરિયર
આ ત્રણ પ્લેયરલ પર લટકતી તલવાર
જાણો કોના કોના નામ છે લિસ્ટમાં
ટીમ ઈન્ડિયામાં સતત કોમ્પિટિશન વધી રહ્યું છે. જેનાથી આવનાર દિવસોમાં એમુક મોટા ક્રિકેટર્સનું ક્રિકેટ કરિયક ખતમ થઈ શકે છે. યુવાઓના રહેતા મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. જેના માટે ટીમ ઈન્ડિયાને પણ આવી જ તૈયારીઓ કરવાની જરૂર રહેશે. દરેક ક્રિકેટરની તમન્ના હોય છે કે તે પોતાના દેશ માટે ક્રિકેટ માટે ત્રણેય પ્લેટફોર્મ્સમાં રમે. પરંતુ ઘણા ઓછા એવા ખેલાડી આમ કરી શકે છે. ભારત માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા તેનું મોટુ ઉદાહરણ છે. ટીમ ઈન્ડિયાના 3 એવા ખેલાડીઓ છે જેમની પર લટકતી તલવાર છે.
અજિંક્ય રહાણે
ભારતીય ક્રિકેટમાં અજિક્ય રહાણે એક મોટા ખેલાડીના રૂપમાં ઓળખવામાં આવે છે. જેમને ટીમ ઈન્ડિયા માટે દરેક ફોર્મેટમાં ક્રિકેટ રમેલું છે. 2011માં ડેબ્યુ કરનાર રહાણેએ ભારત માટે 90 વનડે અને 20ટી 20 મેચોમાં શિરકત કરી છે. પરંતુ આ સમયમાં આ ખેલાડીઓ ટેસ્ટ સ્પેશલિસ્ટની રીતે જોવા મળે છે. રહાણેને લગભગ દરેક ટેસ્ટ સીરીઝમાં રમવાનો મોકો મળે છે. પરંતુ વનડે અને ટી20માં તેની અવગણના કરવામાં આવે છે. ટી20 ક્રિકેટમાં રહાણેને 2016થી એક પણ મેચમાં તક નથી આપવામાં આવી. વન ડે ક્રિકેટમાં પણ તેને 2018થી ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી આપવામાં આવી. તેને જોઈને લાગે છે કે રહાણે હવે ક્યારેક જ વન ડે ક્રિકેટ અથવા ટી 20 રમતા જોવા મળશે. હાલમાં જ ખતમ થયેલા ઈંગ્લેન્ડ પ્રવાસ પર રહાણે ખરાબ રીતે ફ્લોપ રહેયા હતા. જ્યાર બાદ નેક્સ્ટ ટેસ્ટ સીરીઝમાં તે ડ્રોપ પણ થઈ શકે છે.
ઈશાંત શર્મા
સીનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ પોતાના કરિયરની શરઆત વર્ષ 2007માં બાંગ્લાદેશના વિરૂદ્ધ ટેસ્ટ મેચથી કરી હતી અને તે ઉપરાંત માહીએ ઈશાંતને વન ડેમાં ડેબ્યુ કરવાની તક આપી હતી. ઈશાંત અત્યાર સુધી 80 વન ડે મેચ રમી ચુક્યો છે. જેમાં તે 115 વિકેટ લેવામાં સફળ રહ્યો છે જોકે ટી20 ક્રિકેટમાં શર્મા આટલા સફળ ન હતા રહ્યા. ઈશાંતનો વન ડે કરિયર જોઈએ તો તેને સારૂ કહી શકાય. પરંતુ પસંદગી કરનારે તેમને 2016થી એક પણ વન ડે મેચમાં રમવાની તક નથી આપી. ટીમ ઈન્ડિયામાં સતત કોમ્પિટિશન વધી રહી છે. સિરાઝ જેવા બોલર ટેસ્ટ ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં ટીમ ઈન્ડિયામાંથી ઈશાંત શર્માનું પત્તુ કપાઈ શકે છે. ઈશાંત 100થી વધારે ટેસ્ટ રમી ચુક્યા છે. જેમાંથી 311 વિકેટ પોતાના નામે કરી ચુક્યા છે.
ઋદ્ધિમાન સાહા
ઋદ્ધિમાન સાહાની સાથે એક સમસ્યા એ રહી કે જ્યાં સુધી એમએસ ધોની ક્રિકેટમાં છે ઋદ્ધિમાન સાહાને પણ વન ડે અથવા ટી 20 ક્રિકેટમાં વધારે તક ન મળી. ત્યાં સુધી કે ધોનીના સંન્યાસ લીધા બાદથી જ ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટમાં રમવાનો મોકો મળી ગયો. સીનિયર વિકેટકીપર ઋદ્ધિમાન સાહાનું ટેસ્ટ કરિયર હવે પંતના કારણે લગભગ ખતમ થઈ ચુક્યું છે. સાહા ધોનીના ટેસ્ટ ક્રિકેટથી રિટાયર થયા બાદ સતત ટીમમાં વિકેટકીપરની જગ્યાએ ટીમમાં રમતા હતા. પરંતુ જેવી પંતે ટીમમાં પોતાની જગ્યા બનાવી ત્યારથી જ સાહાને ખૂબ ઓછી તક મળવા લાગી. ઋદ્ધિમાન સાહાને હવે ફરીથી ટીમ ઈન્ડિયામાં તક મળવી મુશ્કેલ છે.