ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પોતાના આગામી કાર્યકાળ માટે યોજનાઓ બનાવી દીધી છે.
રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ''આગામી 2 વર્ષમાં ICCના 2 મોટા ટૂર્નામેન્ટ થશે. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઇ ચૂકી છે જેમાં ટીમ ઇન્ડિયાના સારુ પ્રદર્શન કરવા ઇચ્છશે.''
રવિ શાસ્ત્રીને કપિલ દેવની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ ફરી ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પંસ દર્યા છે. રવિ શાસ્ત્રી આગામી 2 વર્ષ માટે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રહેશે અને તેમનો કાર્યકાળ ભારતમાં નવેમ્બર 2021માં થનારા T-20 વર્લ્ડ સુધી ચાલશે.
57 વર્ષીય રવિ શાસ્ત્રીએ જણાવ્યુ કે, ''આગામી 2 વર્ષમાં 2020 અને 2021 માં ICC ની 2 મોટી ટૂર્નામેન્ટ થશે. ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઇકલ પણ શરૂ થઇ ગઇ છે એટલા માટે આ પહેલી પ્રાર્થમિકતા છે. આપણી ટેસ્ટ ટીમ શાનદાર છે અને રેન્કિંગમાં પણ ટોપ પર છે. અમે ઇચ્છીશું કે આજ રીતે સારુ ફોર્મ કરતા રહીએ. T-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અમે યુવા અને પ્રતિભાશાળી ખિલાડીઓ સારુ ફોર્મ કરે તેવી આશા છે.''
ટીમ ઇન્ડિયાના કોચે કહ્યુ કે, ''આગામી 2 વર્ષ માટે ફરી કોચ બનવુ સારી વાત છે. ટીમ ઘણી યુવાન છે અને દુનિયાની નંબર 1 ટીમ બની શકે છે. અમે નંબર 1 ટેસ્ટ ટીમ, વનડે નંબર 3 અને T-20માં નંબર 4 પર છીએ. T-20 ઇન્ટરનેશનલની અમે વધારે મેચ નથી રમી, હજુ ઘણુ કરવાનું બાકી છે.'' તેમને આગળ જણાવ્યુ કે, ''ખિલાડીઓ પોતાનો લાયકાત જાણે છે અને સામનો કરવા માટે તૈયાર છે.''
હેડ કોચ રવિ શાસ્ત્રીએ આગળ કહ્યુ કે, ''વનડે અને T-20, 2 અલગ પ્રકારના ફોર્મેટ છે અને તમે કોઇ પણ વાઇટ બૉલ ક્રિકેટ ને ચશ્માથી ના જોઇ શકો. T-20 સંપૂર્ણ રીતે અલગ રમત છે અને અમે તેણે એજ પ્રકારે રમીશું. અત્યારે જોઇએ તો, 50 ઑવરની ફોર્મેટમાં અમારા 4 અથવા વધારેમાં વધારે 5 ખિલાડીઓ આ ફોર્મેટમાં ફિટ બેસે છે. આજ રીતે જોવાનો પ્રયત્ન કરીશું અને અમે આગળની યોજના પર વધારે ધ્યાન આપીશું. ''
ફરી બીજી મારી ગયા રવિ શાસ્ત્રી:
હાલમાં વેસ્ટઇન્ડિઝમાં ટીમ ઇન્ડિયાના સાથે રવિ શાસ્ત્રીના પક્ષમાં એક વાત રહી કે કેપ્ટન વિરાટ કોહલીની તેઓ ખાસ પસંદ છે. ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફના કોન્ટ્રાક્ટ વર્લ્ડકપ દરમિયાન પૂરો થઇ ગયો હતો, પરંતુ તેમણે 45 દિવસ સુધી વધારવામાં આવ્યો, જે વિન્ડીઝ પ્રવાસ સુધી જારી રહેશે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે વિરાટ પહેલા જ પોતાની પસંદ બતાવી ચૂક્યા છે. 3 અઠવાડિયા પહેલા કેરેબિયાન પ્રવાસ માટે રવાના થતા સમયે વિરાટે કહ્યુ હતુ કે, ''જો રવિ ભાઇ (રવિ શાસ્ત્રી ) કોચ બને છે તો મને ખુશી થશે.''
બીજા કાર્યકાળમાં ટીમને અપાવી 41 જીત:
જૂલાઇ 2017માં બીજી વખત કોચ બન્યા પછી રવિ શાસ્ત્રી કોચિંગમાં ટીમ ઇન્ડિયા 21 ટેસ્ટ મેચ રમી, જેમાં ટીમ ઇન્ડિયાને 13 જીત મળી, જ્યારે T-20 ઇન્ટરનેશનલ મેચમાં ટીમ ઇન્ડિયાને 36માંથી 25માં જીત મળી. જો વનડેની વાત કરવામાં આવે તો શાસ્ત્રીના કોચિંગમાં ટીમ ઇન્ડિયાને 60 મેચમાંથી 43 જીત મળી. આ રીતે બીજા કાર્યકાળમાં તેમની કોચિંગમાં ટીમ ઇન્ડિયાને કુલ 81 મેચમાં જીત મળી. ઉલ્લેખનીય છે કે, કોચ ડંકન ફ્લેચર (2011-2015)માં રહેતા રવિ શાસ્ત્રી પણ ટીમથી જોડાયા, તેઓ 2014-16માં ટીમને ડિરેક્ટ કરી. શાસ્ત્રીએ 2015ના વર્લ્ડ કપ પછી કોચિંગની જવાબાદારી સંભાળી.