ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આજે ભારતની ક્રિકેટ પિચ પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે, તેમણે કહ્યું છે કે લોકોએ પોતાની સાથે ઈમાનદારીથી વર્તવું જોઈએ.
ક્રિકેટ પિચને લઈને થયો છે વિવાદ
ભારતીય સ્પિન પિચને લઈને થઈ રહી છે ચર્ચાઓ
ભારતીય કેપ્ટને ટીકા કરનારાઓને આપ્યો જવાબ
મહત્વનું છે કે હાલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે, જેની ત્રીજી મેચમાં ભારતે અમદાવાદના નવા નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં મહેમાન ઈંગ્લેન્ડને માત્ર બએ જ દિવસની રમત પછી ઘૂંટણીયે પાડી દીધું હતું. માત્ર બે દિવસમાં જ ઈંગ્લેન્ડને બે વાર ઓલઆઉટ પણ કરી દીધું હતું, આના પછી અમુક વિશ્લેષકો અને ઈંગ્લેન્ડના ક્રિકેટરો દ્વારા પણ ભારતીય ક્રિકેટ પિચની ગુણવત્તા અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા, જેના પછી આ વિવાદ ખૂબ જ વધી ગયો હતો, જેને લઈને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મોટું નિવેદન કર્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં કર્યું નિવેદન
ભારતીય કેપ્ટન કોહલીએ ગરૂવારે અમદાવાદમાં શરૂ થનાર ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સ્પિન થનારી પિચ માટે હંમેશાથી વધુ વિવાદ અને ચર્ચાઓ થતી રહેતી હોય છે, જો કે મને પૂરો ભરોસો છે કે આપણી મીડિયા એવી બાબતોનું ખંડન અને એવા વિચારોને પ્રસ્તુત કરવાની સ્થિતિમાં છે કે માત્ર સ્પિન પિચની આલોચના કરવી ખોટી છે અને આ બેલેન્સડ વાતચીત હોય.
આવા સમયે કોઈ કશું નહીં બોલે
કોહલીએ આ મુદ્દે મોટેરાની પિચ પર બેટ્સમેનોની નિષ્ફળતા માટે ટેકનિકની ખામીને કારણ ગણાવ્યું હતું, સાથે જ કહ્યું હતું કે જો કોઈ ટેસ્ટ ચોથા અથવા પાંચમા દિવસે જીતો તો કોઈ કશું નહીં કહે, પણ જો બે દિવસોમાં જો જીતી જાય તો દરે આ મુદ્દે કશુંને કશું બોલતો રહેશે.
કોહલીએ આ સાથે જ ન્યુઝીલેન્ડ ટૂરનું ઉદાહરણ પણ આપ્યું હતું કે તે સમયે ટીમ ફાસ્ટ બોલર અનુકૂળ પિચ પર ઝઝૂમી રહી હતી, પણ ત્યારે દરેકે તેને બેટ્સમેનોની ખામી ગણાવી હતી, જ્યારે માત્ર ૩૬ ઓવરમાં ત્રીજા જ દિવસે ભારત ટેસ્ટ હારી ગયું હતું.
અમે કોઈ ફરિયાદ નથી કરતાં
કોહલીએ આ મુદ્દે વધુમાં કહ્યું હતું કે અમે કદી પણ કોઈ પિચની આલોચના નાથી કરતાં, અમને છેલ્લા અમુક સમયથી સફળતા મળી રહી છે તેનું કારણ છે કે અમે ફરિયાદ કરવાની જગ્યાએ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈને રમીએ છીએ, આ માટે પોતાની સાથે ઈમાનદાર થવાની જરૂર છે બાકી એકને એક વાતનું રટણ કરે રાખવું તેનો કોઈ મતલબ નથી.