ઇસ્લામાબાદ: પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાને શપથ ગ્રહણ કર્યાના થોડાક કલાકોમાં જ પોતાના મંત્રીમંડળની પણ જાહેરાત કરી છે. ઇણરાને શાહ મહમૂદ કુરૈશીને પોતાના વિદેશ મંત્રી નિયુક્ત કર્યા છે. વર્ષ 2008માં મુંબઇ આતંકવાદી હુમલા દરમિયાન પણ કુરૈશી વિદેશ મંત્રી હતા.
પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ પ્રવક્તા ફવાદ ચૌધરીએ કહ્યું કે જાહેરાત કરેલા 20 નામ માંથી 15 મંત્રી હશે જ્યારે પાંચ અન્ય પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે ડ્યૂટી નિભાવશે. એમને જણાવ્યું કે નવા મંત્રી મંડળને સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવાની શક્યતા છે.
ચૌધરી દ્વારા ટ્વિટર પર શેર કરી ગયેલી યાદી અનુસાર કુરૈશીને વિદેશ મંત્રી ફરવેઝ ખટ્ટકને રક્ષા મંત્રી અને અસદ ઉમેરને નાણા મંત્રી બનાવવામાં આવ્યા છે. રાવલપિંડીના શેખ રાશિદને રેલ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રણ મહિલાઓ શિરીન મઝારી ઝુબૈદા જલાલ અને ફહમિદા મિર્ઝા પણ મંત્રીમંડળનો ભાગ છે.
મંત્રીનો દરજ્જો રાખનાર પાંચ સલાહકારોમાં પૂર્વ બેન્કર ઇશરતક હુસૈન કારોબારી અબ્દુલ રઝ્ઝાક દાઉદ અને બાબર અવાન જેવા પ્રતિષ્ઠિત ચહેરાઓ સામેલ છે.
નોંધનીય છે કે પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાને શનિવારે પાકિસ્તાનના 22માં પ્રધાનમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા છે. શપથ લેવાના એક દિવસ પહેલા એમને પાકિસ્તાની સંસદના નીચચેના સદનમાં બહુમત સાબિત કર્યા.