ગુજરાતમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષાનો આજે ફિયાસ્કો થયો છે. મોટાભાગના શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે.
શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા
મોટાભાગના શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો
ગણ્યા ગાંઠયા શિક્ષકોએ જ આપી પરીક્ષા
આજે ગુજરાતના વિવિધ શહેરોમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે સરકાર તરફથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો શિક્ષકો ઘણા દિવસથી વિરોધ કરી રહ્યા છે. આ માટે 2 વાગ્યે શિક્ષકોની કસોટીનું આયોજન હતું પણ તેનો શિક્ષકોએ ફિયાસ્કો બોલાવી દીધો છે. અને મોટાભાગના શિક્ષકોએ પરીક્ષા આપવાનો તદ્દન બહિષ્કાર કર્યો છે. શિક્ષકો પરીક્ષા ન આપવા આવતા વર્ગખંડો ખાલીખમ પડ્યા હતા. ઓએમઆર સીટો બસ પાટલી પર પડી રહી છે તેમાં એક પણ એકડો ઘૂટવામાં આવ્યો ન હતો. શિક્ષકો પરીક્ષા સેન્ટર સુધી પણ આવ્યા ન હતા જેથી સરકાર શિક્ષકોની પરીક્ષા લેવામાં નિષ્ફળ રહી છે જે સાબિત થાય છે.
અમદાવાદના 87 કેન્દ્રોમાંથી મોટા ભાગના ખાલીખમ
ઘણા દિવસથી શિક્ષકો પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે જેના ભાગ રૂપે સરકાર દ્વારા આયોજિત પરિક્ષાનો અમદાવાદના શિક્ષકોએ બહિષ્કાર કર્યો છે. અમદાવાદના 87 કેન્દ્રોમાંથી મોટા ભાગના ખાલીખમ દેખાયા હતા. શિક્ષકો પરિક્ષા સેંટ સુધ્ધાં પણ આવ્યા ન હતા મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોઈ શિક્ષકે પરીક્ષા આપી નથી.
વડોદરામાં 1 જ શિક્ષકે આપી પરીક્ષા
વડોદરા શિક્ષણ સમિતિના 900 શિક્ષકોએ પરીક્ષા ન આપવાનો નિર્ણય કર્યો છે. શિક્ષક સંઘે પરીક્ષા ન આપવાની જાહેરાત કરી છે. શિક્ષકોએ કહ્યું કે અમે તમામ પરીક્ષાઓ આપીને નોકરીમાં આવ્યા છીએ. અને શિક્ષકોની સજ્જતાની અવારનવાર કસોટી થતી જ હોય છે.તો બીજી તરફ મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે શિક્ષિકા ઉષાબેન પટેલે પરિક્ષા આપી હતી. શિક્ષક સજ્જતા પરિક્ષામાં આખા વડોદરા શહેરમાંથી એક જ શિક્ષક કલાસમાં હાજર રહ્યા હતા.
સુરતમાં પરિક્ષાખંડો રહ્યા સૂમસામ
સુરતમાં પણ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સુરતમાં 4 હજાર જેટલા શિક્ષકો પરીક્ષાનો ન આપી સરકારના આયોજન પર પાણી ફેરવી દીધું છે. સુરતમાં પરીક્ષા માટે 44 સેન્ટરો તૈયાર કરાયા હતા જેમાં ઓએમઆર સીટો તો મુકાઇ ગઈ હતી પણ પરીક્ષા આપનાર શિક્ષકો ગાયબ હતા.
રાજકોટ પરીક્ષા આપવા અંગે શિક્ષકોમાં બે ફાંટા
જો રાજકોટ જિલ્લાની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીની વાત કરવામાં આવે તો, રાજકોટમાં પરીક્ષા આપવા વાળા અને ન આપવા વાળ શિક્ષકોના બે ફાંટા જોવા મળ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી વધુ શિક્ષકો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા તેવું પ્રાથમિક અનુમાનમાં જણાય આવે છે.
શિક્ષણમંત્રી ચુડાસમાનો દાવો પડ્યો ખોટો
ગઈકાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણએ ફરજીયાત નથી, આ કસોટી મરજીયાત છે, જેમણે જણાવ્યું કે જે પણ કઈં વિગતો આપશે તેમને લઈ તટસ્થ તપાસ કરવામાં આવશે, બંને શિક્ષણ સંઘોને લઈને સાથે રાખીને બેઠકો યોજી અને બેઠકો યોજ્યા બાદ સર્વેક્ષણ કસોટી ફરજીયાતમાંથી મરજીયાત થઈ છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે મારા કોઈપણ નિર્ણયમાં બંને સંઘોની સહમતિ હોય છે, બાળકોના હિતમાં સરાકર નિર્ણય લઈ રહી છે,શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે કસોટી લેવાવી જરૂરી. નવી શિક્ષણનીતિમાં પણ કસોટીનો ઉલ્લેખ કરાયો છે અને 1 લાખ કરતા વધુ શિક્ષકોએ કસોટીમાં આપવા માટે સહમતી દર્શાવી છે. જે દાવો આજે પોકળ સાબિત થયો છે 1 લાખના દાવા સામે થોડાક જ શિક્ષકોએ પરીક્ષા આપી છે જ્યારે અન્યએ પરીક્ષાનો તદ્દન બહિષ્કાર કર્યો છે.
સજ્જતા સર્વેક્ષણ સામે શિક્ષક સંઘને વાંધો
સમગ્ર મામલે અખિલ ભારતીય શિક્ષણ સંઘના રાષ્ટ્રીય સચિવ મોહનજી પુરોહિતએ કહ્યું હતું કે રાજ્યમાં મોટા પાયે નિયમ વિરુદ્ધ બદલી કરવામાં આવી રહી છે પાટણમાં નિયમ એક ડઝનથી વધારે બદલી કરાઈ છે, ત્યારે શિક્ષણમાં સુધારાના નારા સાથે આંદોલન કરવામાં આવશે, તેમણે જણાવ્યું કે શિક્ષક સર્વેક્ષણ સજજ્જતા મામલે આજે પ્રાથમિક શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કમાન્ડ અને કંટ્રોલ રૂમ ખાતે બેઠક યોજાઈ હતી.જેમાં શિક્ષણમંત્રી પણ હાજર રહ્યા હતા.
શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી વિરુદ્ધ આંદોલન
અખિલ ભારતીય શિક્ષણ સંઘના રાષ્ટ્રીય સચિવ મોહનજી પુરોહિતે કહ્યું કે વિષય મામલે રજૂઆત કર્યા બાદ પણ શિક્ષણ મંત્રી કશુ કરી રહ્યા નથી ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવામા આવી રહ્યો છે. ગુજરાતને કંલકિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા નહી કરવામાં આવે તો આગામી સમયમાં શિક્ષકોની આંદોલલ ચલાવી મોટી લડત આપી શકે છે તેવું વર્તાઈ રહ્યું છે. મહત્વનું છે કે પરીક્ષાને લઈને બે સંઘના શિક્ષકો આમને સામેને આવી ગયો છે ત્યારે અખિલ ભારતીય શિક્ષણ સંઘે તો શિક્ષકોના આંદોલનને લઈને એલાન પણ કરી દીધું છે.