કોરોના વાયરસ લાખો લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યું છે. લાખો લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે અને બીજા લોકો હોસ્પિટલમાં લડી રહ્યા છે. તો બીજી તરફ શ્રમિકો હજારો કિલોમીટર ચાલીને પોતાના વતન પહોંચ્યા છે.
કોરોનાએ છીનવી નોકરી
ટીચર બન્યા કેળા વેચવા મજબૂર
ભૂખ, તરસ અને કોરોનાએ લાખો લોકોના જીવ લીધા છે. સાથે સાથે ઘણા લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો છે. રોજગાર ન હોવાથી લોકો કોઇ પણ કામ કરવા મજબૂર બન્યા છે. આવા જ એક વ્યક્તિનુ નામ છે પટ્ટેમ વૈંકટ સુબ્બયા.
કેળાની લારી ચલાવે છે
43 વર્ષીય સુબ્બયા આંધ્ર પ્રદેશના નેલ્લોર નગરમાં રહે છે. જે 15 વર્ષથી ટીચરની નોકરી કરી રહ્યા હતા. કોરોના સંકટના લીધે તેમણે પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવનાર આ વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કેળા વેચવા પર મજબૂર બન્યો છે.
માર્ચ મહિના સુધી સુબ્બયા 16000 રૂપિયા દર મહિને કમાતા હતા. સાથે જ તેમણે દિકરાના ઓપરેશન માટે 3 લાખ રૂપિયા ઉધાર લીધા હતા તે પણ ચૂકવવાના બાકી છે.
ખેડૂત પિતાના પુત્રએ બી.એક કર્યા બાદ રાજનૈતિક વિજ્ઞાન અને તેલૂગુ ભાષામાં ગ્રેજ્યુએશન કર્યુ હતુ. 12 વર્ષ પહેલા તેમને જ્યારે કોલેજમાં નોકરી મળી તો તેમણે સપના જોવાના શરૂ કર્યા હતા. બાદમાં તેમના લગ્ન થયા અને બે બાળકોના પિતા બન્યા.
કોલેજની હતી આ શરત
કોલેજે કહ્યું હતુ કે જે શિક્ષક 10 વિદ્યાર્થી શોધીને લાવશે એની જ નોકરી સેફ છે. બાકીના શિક્ષકોને કાઢી દેવામાં આવશે. કોરોનાના કારણે કોઇ પણ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર નહોતા. જેથી 50% પગાર આપીને સુબ્બયાને ફાયર કરવામાં આવ્યા.
20 મેથી વેચી રહ્યા છે કેળા
સુબ્બયા નોકરી ગયા બાદ ઘણા હતાશ થઇ ગયા હતા. તેમના એક મિત્રની સલાહ બાદ તેમણે કેળા વેચવાની શરૂઆત કરી હતી. તેમનુ માનવુ છે કે કોઇ પણ કામ નાનુ કે મોટુ નથી હોતું.