ખેડા જિલ્લામાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ થયુ હોવાના આક્ષેપ સાથે અરજદારોએ જિલ્લા શિક્ષણાધિકારીને કરી રજૂઆત
ખેડામાં શિક્ષક ભરતીનો આક્ષેપ
અરજદારોએ કરી જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત
96 વિદ્યા સહાયકોની ખોટી ભરતી કરી હોવાનો આક્ષેપ
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી શૈક્ષણિક સંસ્થામાં કૌભાંડો ઉજાગર થઇ રહ્યા છે. ક્યારે ડિગ્રી કૌભાંડ તો ક્યાંક બોગસ સર્ટિફિકેટ. સરકારી નોકરીઓમાં પણ ભરતીને લઇને વારંવાર આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં શિક્ષક ભરતીમાં કૌભાંડ થયુ હોવાનો આક્ષેપ થયો છે..શિક્ષકોની ભરતીમાં કૌભાંડ થયુ હોવાની અરજદારોએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. કૌભાંડથી ભરતી કરાયેલા શિક્ષકોની ખેડામાં પોસ્ટિંગ થયાનો આક્ષેપ કરાયો છે. 2008-09માં 96 વિદ્યા સહાયકોની ખોટી ભરતી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. 2009-10માં 13 વિદ્યા સહાયકોની ભરતી કરાઇ હતી. ત્યારે અરજદારોએ આરોપ કર્યો છે કે જે પણ ભરતી કરાઇ છે તમામ વિદ્યા સહાયકો સાબરકાંઠાના છે. સાબરકાંઠા ભરતી કૌભાંડના ઉમેદવારોને ખેડામાં પોસ્ટિંગ અપાયાનો આરોપ લગાવાયો છે.
શું છે અરજદારોનો આરોપ
અરજદારોનું કહેવું છે કે અમે 2008થી કોર્ટ અને શિક્ષણ વિભાગના ધક્કા ખાઇ રહ્યાં છે. ત્યારે હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે મળીને લડત ચલાવાશે. અને ભરતી કૌભાંડના તમામ પુરાવા યુવરાજસિંહને અપાશે. અરજદારોએ આરોપ કર્યો છે કે સ્પોર્ટસ અને દિવ્યાંગ હોવાના ખોટા સર્ટિફિકેટ આપી નોકરી મેળવી છે.
સળગતા સવાલ
ખેડા જિલ્લામાં શિક્ષક ભરતી કૌભાંડને લઇ ક્યારે કાર્યવાહી કરાશે?
અરજદારો 2008થી રજૂઆત કરી રહ્યાં છે છતા કેમ વાત નથી સાંભળવામાં આવતી?.
શું ખોટી રીતે ભરતી થયેલા લોકોને બરતરફ ન કરાય?
પૈસા આપી ભરતી થયેલા લોકો સામે કાર્યવાહી કેમ નથી કરાતી?
આવું જ થતું રહ્યું તો પછી લોકો સ્પર્ધાત્મક પરીક્ષા પર કેવી રીતે વિશ્વાસ કરશે?
ભરતી કૌભાંડમાં યોગ્ય કાર્યવાહી કેમ નથી કરાતી?
પૈસા આપી નોકરી મેળવનારને નોકરીમાંથી રવાના કેમ નથી કરાતા?