શિક્ષણ ઓનલાઈન થયું, પરંતુ જ્યાં ઓનલાઈન શિક્ષણ અશક્ય છે. ત્યારે નિલમભાઈ જેવા હજારો શિક્ષકો પોતાનો ગુરુ ધર્મ નિભાવી રહ્યા છે.
જ્ઞાન સાથે ગમ્મત
એક શિક્ષકનો નવતર પ્રયોગ
શેરીએ-શેરીએ જઈને બાળકોને ભણાવે છે
શેરી શિક્ષણને બનાવ્યું આકર્ષક
કોરોનાની મહામારીના આ કાળમાં જ્યારે શૈક્ષણિક કાર્ય બંધ છે. ત્યારે બનાસકાંઠાના એક શિક્ષકે નાના બાળકો વાંચન અને લખતા ન ભૂલી જાય તે માટે પોતાના જ કપડાને પાઠશાળા બનાવી દીધી છે. એટલે કે, પોતાના કપડા પર અવનવા શબ્દો લખ્યા છે, અને શેરીએ-શેરીએ જઈને બાળકોને ભણાવે છે. ત્યારે કેવી છે શિક્ષણની આ પહેલ જુઓ આ રિપોર્ટમાં.
બનાસકાંઠાના શિક્ષકનો અનોકો પ્રયાસ
આજે કોરોનાની મહામારી વચ્ચે આવા જ એક ગુરુના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. જેમનું નામ નિલમભાઈ પટેલ છે અને કાંકરેજ તાલુકાની હરિનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ નિભાવે છે. કોરોનાની મહામારીમાં શિક્ષણ ઓનલાઈન થયું, પરંતુ જ્યાં ઓનલાઈન શિક્ષણ અશક્ય છે. ત્યારે નિલમભાઈ જેવા હજારો શિક્ષકો પોતાનો ગુરુ ધર્મ નિભાવી રહ્યા છે. પરંતુ અહીં નિલમભાઈની કામગીરી જરા હટકે છે. કારણ કે, તેઓ મહામારીના આ માહોલમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેમની શેરીઓ સુધી તો પહોંચે જ છે. પરંતુ જ્ઞાનરૂપી આખી શાળા પોતાના કપડામાં કંડારીને જાય છે. એટલે કે,તેઓ રોજ પોતાના કપડામાં અનેક પ્રકારના દાખલા, શબ્દો, સંજ્ઞાઓ કંડારીના જાય છે અને બાળકોને ભણાવે છે. પોતાના આ પ્રકારના પ્રયાસને લઈને નિલમભાઈ શું કહે છે જરા તે પણ સાંભળો..
પોતાના કપડા પર કંડાર્યા જ્ઞાન ભર્યા શબ્દો
અહીં તમે ખુદ નિલમભાઈના કપડા પર મૂળાક્ષરો, હિન્દી, ગુજરાતી શબ્દો, સરવાળા, બાદબાકીની પેઈન્ટિંગ જોઈ શકો છો. બાળકો નિલમભાઈના કપડા પરના લખાણને જોઈને લેખનકાર્ય કરે છે. નિલમભાઈના આ અનોખા પ્રયાસના કારણે તેઓ લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
દરેક શિક્ષણને આ પ્રકારે અવનવા પ્રયાસ કરવા જોઈએ
કહેવાય છે કે, માણસ ધારે તો કાંઈપણ કરી શકે અને તેમાં પણ ગુરુ જો પોતાના શિશ્યોને કોઈપણ કપરી સ્થિતિમાં જ્ઞાન આપવાનું ઠામી લે તો તે કાર્યને તે પૂર્ણ કરીને જ જંપે છે. નિલમભાઈના આ પ્રયાસ હકીકતમાં બિરદાવવા લાયક છે.