કોરોનાકાળમાં સરકારે સ્પષ્ટ રીતે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ પણ અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં રણછોડનગરમાં ટ્યુશન ક્લાસીસ ઝડપાયું
નિયમો નેવે મૂકી ચાલી રહ્યા છે ટ્યુશન ક્લાસ
ચાંદલોડિયા વિસ્તામાં ટ્યુશન ક્લાસીસ ઝડપાયું
10થી 15 વિદ્યાર્થીઓને અપાતું હતું શિક્ષણ
અમદાવાદમાં નિયમો નેવે મુકી ટ્યુશન ક્લાસો ચાલી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં રણછોડનગરમાં ટ્યુશન ક્લાસીસ ઝડપાયું છે. ટ્યુશન ક્લાસીસમાં 10થી 15 વિદ્યાર્થીઓને શિક્ષણ અપાતું હતું. ક્લાસીસ સંચાલક શટર પાડી અને ટ્યુશન કરાવી રહ્યો હતો. અને ક્લાસીસનો શિક્ષક ખુદ માસ્ક વિના ટ્યુશન આપી રહ્યાં હતા. ત્યારે આવી સ્થિતિ વચ્ચે બાળકોના જીવને જોખમમાં નાખી કેમ ટ્યુશન ક્લાસ શરૂ કરાયા. વાલીઓ પણ કેમ નથી સમજતા નથી કે હાલ સ્વાસ્થય જરૂર છે.
ત્રીજી લહેરમાં બાળકો માટે બનશે ઘાતકી
કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને બીજી લહેરમાં ભારતના ઘણા લોકો પ્રભાવિત થયા છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. AMAના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતકી રહેવાની શક્યતા છે. બાળકોની હજુ સુધી કોઇ વેક્સિન બની શકી નથી માટે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે.
જો કે અત્યારથી જ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવું ભોજન આપવું જોઈએ. અને વધુ માત્રામાં પ્રવાહી આપવું. આમ, શક્ય હોય એટલી બાળકોની ઇમ્યૂનિટી વધારવાનો પ્રયત્ન કરવો.