ચા એક એવો શબ્દ છે જેને ભારતમાં લાગણી માનવામાં આવે છે. તમે ઘરડા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ચા ન પીવુ તો માથુ ચડી જાય છે અને તેને કારણે બાળકોને ચાનો નશો ન થાય તે માટે ચા પીવડાવવામાં આવતી નથી. તો બીજી તરફ કેટલાક લોકો કહે છે કે ચા પીવાથી નુકસાન થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે નુકસાન નહી ચા પીવાથી કેટલા પ્રકારના ફાયદા થાય છે.
ચાના છે અઢળક ફાયદા
ચાથી નુકસાન કરતા વધારે ફાયદા
મગજ માટે સારી ચા
રિસર્ચ પ્રમાણે નિયમિત માત્રામાં ચા પીવાથી ચા પીનારા લોકોના મગજ વ્યસ્થિત રીતે સંગઠિત હોય છે. મગજનો પ્રત્યેક હિસ્સો વ્યવસ્થિત રહેવુ સ્વસ્થ કોગ્નિટીવ પ્રોસેસ સાથે જોડાયેલું છે. આ પરિણામો સુધી પહોંચવા માટે રિસર્ચમાં 36 ઉંમરલાયક લોકોના ન્યૂરોઈમેજિંગ ડેટાન પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.
આ રિસર્ચ સિંગાપૂરની એક યુનિવર્સિટીમાં થયુ છે, તેના પ્રોફેસર્સનું કહેવું છે કે ચા ન પીનારા લોકો કરતા જે લોકો ચા પીવે છે તે લોકોનો ઘણા ફાયદા થાય છે.
રિસર્ચ કરનારાઓએ કહ્યું કે, પૂર્વ રિસર્ચમાં બતાવાયું છે કે, ચી પીવું હેલ્થ માટે લાભકારક છે અને તેના સકારાત્મક પ્રભાવોમાં મિજાજમાં સુધાર થવું અને હૃદય તેમજ નસ સંબંધિત બીમારીથી બચવુ સામેલ છે. આ રિસર્ચ 2015થી લઈને 2018ની વચ્ચે 60 વર્ષથી વધુ ઉંમરવાળા 36 વૃદ્ધો પર રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં તેમની હેલ્થ, લાઈફસ્ટાઈલ અને મનોવૈજ્ઞાનિક હેલ્થ સંબંધિત ડેટા જોડવામાં આવ્યો.
સ્પર્ધકોનું પરિણામ કહે છે કે, જે લોકો અંદાજે 25 વર્ષ સુધી સપ્તાહમાં ઓછામાં ઓછા ચાર વાર ગ્રીન ટી, ઉલૂંગ ટી કે બ્લેક ટી પીએ છે, તેમના દિમાગનો હિસ્સો વધુ પ્રભાવી સ્તરે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ રિસર્ચ એજિંગ જનરલમાં પ્રકાશિત થયું છે.