TDP ના વડા અને ચંદ્રબાબુ નાયડુએ આંધપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે. તેમણે આરોપો લગાવ્યા છે. YSRCP દ્વારા કથિત ગુંડાગીરી અને રાજ્યમાં લોકશાહીને અવરોધિત કરે છે.
ચંદ્રબાબુએ YSRCP ના કાર્યકરો પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો
આંધ્રપ્રદેશ ગુનાહિત પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ફેરવાઈ ગયું છે
નાયડુએ આ મામલે PM અને રાષ્ટ્રપતિની હસ્તક્ષેપની માંગ કરી હતી
ચંદ્રબાબુએ YSRCP ના કાર્યકરો પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશન પાર્ટીના પ્રમુખ અને ચંદ્રબાબુ નાયડુએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ચંદ્રબાબુ નાયડુએ એક પત્રમાં આંધ્રપ્રદેશના મંગલાગિરીમાં તેલુગુ દેશમ પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય પર હુમલાના સંબંધમાં વાયએસઆરસીપીના કાર્યકરો પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો છે.પોતાના પત્રમાં ટીડીપીના અધ્યક્ષે સત્તારૂઢ વાયએસઆરસીપીની આગેવાની વાળી સરકાર પર પ્રાયોજિત કથિત ગુંડાગીરી અને રાજ્યમાં લોકશાહીને અવરોધિત કરવાનો આરોપ લગાવ્યો છે.
TDP ના વડાએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને ડ્રગ્સનું કેન્દ્ર બની ગયું છે. નાયડુએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આંધ્રપ્રદેશ ગુનાહિત પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ફેરવાઈ ગયું છે. રાજ્ય સામાન્ય રીતે ડ્રગ્સ અને ખાસ કરીને ગાંજાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
TDPએ સતત આંધ્રપ્રદેશમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે
નાયડુએ કહ્યું કે, એક જવાબદાર વિપક્ષ હોવાના કારણે ટીડીપી નિયમિતપણે મુદ્દાઓ ઉઠાવતી રહી છે. અને તેમની નિષ્ક્રિયતા માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું, "એક જવાબદાર વિપક્ષ તરીકે ટીડીપીએ સતત આંધ્રપ્રદેશમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે અને આ મામલામાં તેની નિષ્ક્રિયતા માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે.જેના કારણે શાસક વાયએસઆરસીપીના લોકોએ ટીડીપી વિરુદ્ધ રાજ્યવ્યાપી હુમલા શરૂ કર્યા છે. રાયલસીમા અને ઉત્તર આંધ્ર સહિત રાજ્યભરમાં ટીડીપી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.
નાયડુએ આ મામલે PM અને રાષ્ટ્રપતિની હસ્તક્ષેપની માંગ કરી હતી
ચંદ્રાબાબુ નાયડુએ આ મામલે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અપીલ કરી છે