દેશના સામાન્ય બજેટથી દરેક વર્ગના લોકોને મોટી આશાઓ બંધાયેલી છે. વેપારી વેપારમાં રાહત ઈચ્છી રહ્યા છે, તો સામાન્ય માણસ મોંઘવારીથી રાહત મળે તેવા સપના સેવી રહ્યો છે.
દેશની જનતાને છે મોદી સરકાર પાસેથી મોટી આશા
સરકાર આ વખતે આપી શકે છે મોટી સરપ્રાઈઝ
ટેક્સપેયર્સની બજેટ સત્ર પર રહેશે બાજનજર
દેશના સામાન્ય બજેટથી દરેક વર્ગના લોકોને મોટી આશાઓ બંધાયેલી છે. વેપારી વેપારમાં રાહત ઈચ્છી રહ્યા છે, તો સામાન્ય માણસ મોંઘવારીથી રાહત મળે તેવા સપના સેવી રહ્યો છે. સૌથી વધારે નોકરી ધંધો કરતા લોકોને બજેટમાં ઈન્કમ ટેક્સમાં છૂટની આશા રાખીને બેઠા છે. કેટલીય વાર મોદી સરકારે પોતાના નિર્ણયોથી લોકોને ચોંકાવ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી 2022ના રોજ પોતાનું ચોથું કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ધંધાદારી લોકો સતત સરકાર પાસેથી ઈન્કમ ટેક્સ છૂટની માગ કરી રહ્યા છે. તેમણે આશા છે કે, આ વખતે તેમની આ માગ પુરી થઈ શકે છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સરકાર આ વખતે બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને ટેક્સપેયર્સને રાહત આપી શકે છે.
વર્ષ 2014માં થયો હતો ફેરફાર
હકીકતમાં જોઈએ તો, સામાન્ય માણસને ઈન્કમ ટેક્સમાં છૂટ મળી તેને લગભગ 8 વર્ષ થઈ ગયા છે. મોદી સરાકરે વર્ષ 2014માં ઈન્કમ ટેક્સની મર્યાદા 2 લાખથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી દીધી હતી. ત્યારે નાણામંત્રી અરુણ જેટલી હતાં. જ્યારે 60 વર્ષથી વધારે અને 80 વર્ષથી ઓછી ઉંમરના વરિષ્ઠ નાગરિકોને ટેક્સ છૂટની મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી દીધી હતી.
જાણકારો અનુમાન લગાવી રહ્યા છે કે, સરકાર આ વખતે બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપી શકે છે. આ રાહતમાં મૂળ ઈન્કમ ટેક્સ મર્યાદાને 2.5 લાખથી વધારીને 3 લાખ રૂપિયા સુધી કરવાની જાહેરાત કરી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે હાલામં 3 લાખથી વધારે 3.5 લાખ કરવાની આશા બંધાયેલી છે. એટલું નહીં, હાઈ ઈન્કમ સ્લેબને પણ 15 લાખથી ઉપર સંશોધિત થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.
હાલમાં ટેક્સ પેયર્સ પાસે બે વિકલ્પ
જો કે બજેટ 2020માં કેન્દ્ર સરકારે એક નવી ટેક્સ વ્યવસ્થા ઊભી કરી છે. નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત, ટેક્સ છૂટ અને કાપને છોડીને ઈચ્છુક લોકો માટે ટેક્સના દર ઓછા કરી દેવામાં આવ્યા છે. નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત 2.5 લાખથી 5 લાખની વચ્ચે આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગે છે. જૂની વ્યવસ્થા અંતર્ગત 5 લાખથી 7.5 લાખ સુધઈની પર્સનલ ઈન્કમ પર 20 ટકાના દરેથી ટેક્સ લાગે છે. જ્યારે નવી વ્યવસ્થા અંતર્ગત ટેક્સના દર 10 ટકા છે. તો વળી જૂની વ્યવસ્થામાં 7.5 લાખથી 10 લાખ વચ્ચેની આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગે છે. જ્યારે નવી વ્યવસ્થામાં કરનો દર 15 ટકા છે.