લોકસભામાં આજે કરવેરા કાયદા સંશોધન બિલ-2019 પાસ થયું છે. આ બિલમાં ગૃહ ઉદ્યોગોને 22 ટકાના દરથી કર ચૂકવણીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આનાથી કોર્પોરેટ ટેક્સમાં સરકાર દ્વારા કરવામાં આવેલ ઘટાડાનો એક પડાવ પાર થઇ ગયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ ટેક્સમાં ઘટાડાથી તમામ કંપનીઓને ફાયદો થશે, જે કંપની કાયદા હેઠળ રજિસ્ટર છે.
કરવેરા કાયદા (સુધારા) બિલ, 2019 લોકસભામાં પાસ
તમામનું સાંભળે છે મોદી સરકારઃ નાણામંત્રી
અમને કહેવામાં આવે છે સૂટ-બૂટની સરકાર
નાણામંત્રીએ ચર્ચાનો જવાબ આપતા સંસદમાં કહ્યું કે અમારી સરકારને સૂટ-બૂટની સરકાર કહેવામાં આવે છે. અમે જ્યારે કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનું એલાન કર્યું તો કહેવામાં આવ્યું કે આનો ફાયદો માત્ર અમીરોને થશે, પરંતુ હું કહેવામા માંગુ છું કે ટેક્સમાં ઘટાડાથી તમામ કંપનીઓ ફાયદામાં રહેશે.
નાણામંત્રીએ અર્થવ્યવસ્થાથી જોડાયેલ સાંસદોના સવાલનો જવાબ આપતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દરેક સવાલ અને આલોચનાઓને સાંભળે છે. તેમણે કહ્યું કે જ્યારે પણ સંસદમાં પીએમ, નાણામંત્રી અથવા રક્ષામંત્રીને સવાલ પૂછવામાં આવ્યા તેમણે સંસદમાં ઉપસ્થિત થઇને જવાબ આપ્યા. પ્રત્યક્ષ ટેક્સ સંગ્રહથી જોડાયેલ સુપ્રિયા સુલેના સવાલના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે તમને જાણ થવી જોઇએ કે તેમાં ઘટાડો નથી આવ્યો, પરંતુ વધારો થયો છે અને સતત વધારો થઇ રહ્યો છે.
Finance Minister Nirmala Sitharaman in Lok Sabha: We're called 'suit-boot ki sarkaar' again & again. We're told that lowering corporate tax helps only rich. I want to tell them that corporate tax cut helps all small & big businesses registered according to Companies Act. pic.twitter.com/E06sUqMcs7