વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા અને કર પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે એક નવું વિશેષ પ્લેટફોર્મ શરૂ કર્યું. મોદીએ આ સાથે જ કહ્યું હતુકે દેશમાં હાલમાં આવકવેરો ભરનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, લોકોએ આ માટે સામેથી વિચારવું જોઈએ અને આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે 15મી ઓગસ્ટથી નાગરિકો ટેક્સ ભરવાની શપથ લે અને આમ જ દેશ આત્મનિર્ભર બની શકશે.
પ્રામાણિક કરદાતાઓને મોદી સરકારની નવી ભેટ
ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કરદાતાઓને આત્મવિશ્વાસ મળશે
પીએમ મોદીએ દેશને નવું પ્લેટફોર્મ સમર્પિત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા અને કર પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે એક નવું વિશેષ પ્લેટફોર્મ શરૂ કર્યું. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મંચ 21 મી સદીની કર પ્રણાલીની શરૂઆત છે, જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર ચાર્ટર જેવા મોટા સુધારા કરવામાં આવ્યા છે.
At 11 AM on Thursday, 13th August, the platform for “Transparent Taxation – Honoring the Honest” would be launched. This adds strength to our efforts of reforming and simplifying our tax system. It will benefit several honest tax payers, whose hardwork powers national progress.
1.PM મોદીએ ''ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશન: ઓનરિંગ ધ ઓનેસ્ટ'' પોર્ટલ દેશને અપર્ણ કર્યું
આ નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાઓને ફેસલેસ એસેસમેન્ટ, ટેક્સપેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલ વગેરે જેવી સુવિધા મળશે. ઉપરાંત, હવે ટેક્સ ભરવાનું વધુ સરળ બનશે, ટેકનોલોજીના ઉપયોગથી કર પ્રણાલી વધુ સરળ બનશે. લોકો અને સિસ્ટમ બંનેનો એકબીજા પરનો વિશ્વાસ વધશે. જે દેશ માટે સારું છે.
#FacelessAsssessment has benefits like making tax assessment fair,transparent,ensuring ease of compliance & improved quality of assessment. No more physical interface. No more visits to IT office.Reply to be filed online. Expeditious & efficient disposal.(5/7)#HonoringTheHonestpic.twitter.com/zVo4De8V5Q
પીએમ મોદીએ કહ્યું કે આમાંની કેટલીક સુવિધાઓનો અમલ થઈ ચૂક્યો છે, જ્યારે આ સંપૂર્ણ સુવિધા 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં અમે આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રામાણિકને માન આપવામાં આવશે, પ્રામાણિક કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થતી નવી વ્યવસ્થા, નવી સુવિધાઓ સરકારના મિનિમમ ગવર્નમેન્ટ મેક્સીમમ ગવર્નન્સના એજન્ડાને આગળ ધપાવે છે. પીએમએ કહ્યું કે આનાથી સરકારની દખલ ઓછી થશે.
2. બીજા પ્રાંતનો અધિકારી જ કરશે તપાસ
પીએમ મોદીએ કહ્યું હતું કે આ અગાઉ 10 લાખનો કેસ પણ કોર્ટમાં જતો હતો, પરંતુ હવે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં જતા કેસની મર્યાદા અનુક્રમે 1-2 કરોડ થઈ ગઈ છે. હવે કોર્ટની બહાર કેસના સમાધાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પહેલા એવું બનતું હતું કે એક શહેરના અધિકારી જ તેના કેસ જોતા હતા, પરંતુ હવે ટેકનોલોજીને કારણે દેશના કોઈ પણ ભાગનો અધિકારી તપાસ કરી શકે છે. મુંબઇના મામલાની તપાસ કોઈ બીજા જ શહેરમાં થાય. અને તે ટીમમાં કોણ હશે તેનું પરિણામ પણ કોમ્પ્યુટર દ્વારા નક્કી કરવામાં આવશે.
3. કરદાતાઓને મળશે ન્યાય
નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે કરદાતાઓને ફાયદો પહોંચાડવા માટે સરકાર દ્વારા આ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ટેકનોલોજી, ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લોકોને સરળ બનાવશે. આ કાર્યક્રમ અંતર્ગત આવકવેરા વિભાગે કરદાતાઓને ઘણી છૂટ આપી છે, તેમ જ તેમને ન્યાય આપવાનું વચન પણ આપ્યું છે.પીએમ મોદીના નવા કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર વ્યક્તિગત કરદાતાઓ એટલે કે વ્યક્તિગત આવકવેરા ભરનારા પર છે. તે પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરે તેવી અપેક્ષા છે.
છેલ્લા weeks- 3-4 અઠવાડિયામાં વડા પ્રધાન કાર્યાલયમાં દેશના ટેક્સ અધિકારીઓ સાથે ફેસલેસ આકારણી અને પારદર્શિતા વગેરે વિશેની અનેક તબક્કાની બેઠકોમાં ચર્ચા થઈ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે તાજેતરમાં કહ્યું હતું કે ફેસલેસ આકારણી અને અન્ય પગલાંથી કરદાતાઓની મુશ્કેલીઓ ઓછી થશે અને કર વ્યવસ્થાને સરળ બનાવશે.
વડા પ્રધાને લોકોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
પીએમ મોદીએ કહ્યું કે હવે એકબીજા સાથે ઓળખાણનો સમય પૂરો થયો. ટ્રાન્સફર, પોસ્ટિંગ વગેરેના મુદ્દાઓ પર રાહત મળશે. ટેક્સ સંબંધિત કેસોની તપાસ અને અપીલ બંને હેવે ફેસલેસ હશે. આવકવેરા વિભાગે કરદાતાનું સન્માન કરવું જ પડશે, કેમ કે દેશ તેમના યોગદાનથી ચાલે છે અને પ્રગતિની તક સર્જાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે 2012 -13માં જેટલી ટેક્સ સ્ક્રૂટીની થતી હતી તેમાં ઘણો ઘટાડો આવ્યો છે. છતાં હજી પણ 130 કરોડની વસ્તીમાં માત્ર દોઢ કરોડ લોકો ટેક્સ ભરે છે તે યોગ્ય નથી. આ 15 ઓગસ્ટથી જ લોકો ટેક્સ ભરવાનો સંકલ્પ લે તે ઇચ્છનીય છે.
Taxpayers’ Charter unveiled! Demonstrating the commitment of IT Department towards improving taxpayer services and holding itself accountable, it clearly articulates taxpayers’ rights and responsibilities even as it sets out its expectations from them. (6/7)#HonoringTheHonestpic.twitter.com/QH2wBfegjW
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશમાં સુધારાઓ સતત કરવામાં આવી રહ્યા છે, દેશ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની રેન્કિંગમાં આગળ વધી રહ્યો છે. કોરોના સંકટમાં પણ દેશમાં રેકોર્ડ એફડીઆઈ આવવાનું તેનું ઉદાહરણ છે. પીએમએ કહ્યું હતું કે દેશ સાથે છેતરપિંડી કરી રહેલા કેટલાક લોકોને ઓળખવા માટે ઘણા લોકોને મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું, આનાથી સાંઠગાંઠની સિસ્ટમ બની ગઈ હતી, અને બ્લેક અને વ્હાઇટ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થયો હતો.
ઘણી વાર આવકવેરો બંધ કરવા માટે થાય છે માંગણીઓ
નોંધપાત્ર વાત એ છે કે દેશની ઘણી સંસ્થાઓ આવકવેરા પદ્ધતિને નાબૂદ કરવાની અથવા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવાની માંગ કરી રહી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આવકવેરને નાબૂદ કરવા કહ્યું હતું. ઘણા નિષ્ણાતોએ કહ્યું ક દેશમાં કરદાતાઓને પ્રોત્સાહનના બદલે પરેશાનીનો ભોગ બનવું પડે છે. કરદાતાઓને કેટલીક વિશેષ સુવિધાઓ આપવી જોઈએ જે ઘણા વિકસિત દેશોમાં જોવા મળે છે.
કરદાતાઓની સુવિધા વધારવા પર રહ્યું છે ફોકસ
છેલ્લા કેટલાક વર્ષોમાં, આવકવેરા વિભાગે વ્યક્તિગત આવકવેરા ભરનારાઓની મુશ્કેલીઓ ઘટાડવા માટે ઘણાં પગલાં લીધાં છે. વ્યક્તિગત કરદાતાઓ વધુ અનુકૂળ બનાવવા હવે ''પહેલેથી જ ભરેલા'' આવકવેરા રીટર્ન ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. અન્ય વિવાદોના નિરાકરણ માટે, આવકવેરા વિભાગે ડાયરેક્ટ ટેક્સ વિવાદોને ટ્રસ્ટ એક્ટ પણ રજૂ કર્યો છે, જે અંતર્ગત વિવાદોના સમાધાન માટે જાહેરાત કરવામાં આવી હતી.
स्क्रूटनी का 4 गुना कम होना, अपने आप में बता रहा है कि बदलाव कितना व्यापक है।
बीते 6 वर्षों में भारत ने tax administration में governance का एक नया मॉडल विकसित होते देखा है: PM @narendramodi#HonoringTheHonest
કરદાતાઓની ફરિયાદો અથવા વિવાદોમાં અસરકારક ઘટાડો થાય તે માટે વિવિધ ટ્રિબ્યુનલ કે અદાલતોમાં ખાતાકીય અપીલ દાખલ કરવા માટે પ્રારંભિક નાણાકીય સીમા પણ વધારી દેવાઈ છે.
તેવી જ રીતે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ચુકવણીની ઇલેક્ટ્રોનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે પણ પગલા લેવાયા છે. આટલું જ નહીં, આવકવેરા વિભાગે કોરોના સમયગાળા દરમિયાન કરદાતાઓ માટે ઘણા પગલાં લેવાયા છે. આ અંતર્ગત, રિટર્ન ફાઇલ કરવા માટેની કાનૂની સમયમર્યાદા વધારવામાં આવી છે અને કરદાતાઓના હાથમાં લિકવીડિટી વધારવા માટે ઝડપી રિફંડ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.