GSTમાં ફેરફાર કરવાની વાત પર સુબ્રમણ્યમ સ્વામીએ તેને સંપૂર્ણ રીતે ખતમ કરવાની વાત કહી
કેન્દ્ર સરકારની નીતિઓ અને યોજનાઓ સામે સવાલ
સુબ્રમણ્યમ સ્વામીએ હવે જીએસટીને લઈને મોટુ નિવેદન આપ્યું
ભારતે 20 હજાર સૌનિકો અફગાનિસ્તાન મોકલવા જોઈએ
કેન્દ્ર સરકારની નીતિઓ અને યોજનાઓ પર સતત સવાલ ઉઠાવી રહેલા બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ હવે જીએસટીને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેને બંધ કરી દેવું જ સારૂ રહેશે. સ્વામીએ આ નિવેદન એક ટ્વિટર યુઝર દ્વારા એક મીડિયા રિપોર્ટમાં તેમને ટેગ કરવા પર જવાબમાં આવ્યું છે. જેમાં જીએસટી દરને કઈ રીતે વધારે સારુ બનાવી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી રહી હતી.
GSTને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવું જોઈએ
રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જીએસટી લાગુ થયે હવે ચાર વર્ષ થઈ ગયા છે. તે હવે પોતાના પાંચમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે પરંતુ હજું પણ તેમાં ઘણા સુધારા કરવાની જરૂર છે. તેના જવાબમાં બીજેપી સાંસદે કહ્યું કે તેને ખતમ કરી દેવુ જ સારુ રહેશે.
ભારતે 20 હજાર સૌનિકો અફગાનિસ્તાન મોકલવા જોઈએ
સાથે જ અફગાનિસ્તાનમાં ફરી એક વખત વધી રહેલા તાલિબાની ખતરાને લઈને સ્વામીએ કહ્યું કે ભારતને તેના સામે 20 હજાર સૈનિકોને અફગાનિસ્તાન મોકલવા જોઈએ.