અમદાવાદના પાલડીમાં આવેલા વણિકર ભવન મામલે VHPએ AHP સામે ફરિયાદ કરી છે. ખોટી રીતે કાર્યાલય કબજો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે હવે વાણિકર ભવન પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આજે પ્રવિણ તોડગિયા અમદાવાદ આવી શકે છે.
આ દરમિયાન તેઓ કાર્યકરો સાથે વાણિકર ભવનમાં પહોંચી શકે છે. આ મામલે AHPના કાર્યકરો કાયદાકીય લડત ચલાવવાનાં મૂડમાં છે. મહત્વનુ છે કે શનિવારે AHP કાર્યાલયમા VHP અને AHPના કાર્યકર્તાઓ સામે સામે આવી ગયા હતા. AHPના કાર્યાલયમાં VHPના કાર્યકરોએ તોડફોડ કરી હતી. ખોટી રીતે કાર્યાલય કબજો કર્યાની ફરિયાદ થઈ છે. VHPએ AHPને ઓફિસ ખાલી કરવા માટે નોટિસ મોકલી હતી.
આપને જણાવી દઈએ કે પ્રવિણ તોગડિયા જ્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં હતા ત્યારે આ ઓફિસનું સંચાલન કરતા હતા પરંતુ તોગડિયાએ ત્યારબાદ પોતાનું નવુ સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નામનું નવું સંગઠન બનાવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઓફિસ ખાલી કરાવવાને લઈ વિવાદ સર્જાયો છે