વાવાઝોડાએ અનેક તારાજી સર્જી છે રાજ્યના મોટા શહેરો અને ગામડાઓમાં ભારે નુક્સાન થયું છે, જોકે જાનહાનિ નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છી પરંતું જો વાત કરવામાં આવે તો રાજ્યમાં માલ મિલકતને વધુ નુક્સાન થયેલું જોવા મળે છે, વીજ પોલના થાભંલાઓ ભારે પવન અને વરસાદને કારણે ઉખડી ગયા છે. તો ગામડોઓમાં અનેક લોકોનું સ્થળાંતર કરવીના ફરજ પડી છે.
40 હજાર જેટલા વૃક્ષો ધરાશાયી
ગામડાઓમાં વીજળી ડૂલ થઈ છે.વાવાઝોડાને કારણે 4231 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, 1958 ગામોમાં વીજ સપ્લાય ફરી શરૂ કરવામાં આવી છે. જ્યારે હજુ પણ 2273 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ છે. 3502 ગામડાઓમાં ફીડર બંધ થઈ ગયા છે, જ્યારે 1077 વીજપોલ અને 25 ટ્રાન્સમીટર બંધ થયા છે, તો વાવાઝોડાની તબાહીના કારણે 40 હજાર જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. હજુ પણ તબાહીના સાચા આંકડા સામે આવ્યા નથી.
વરસાદી વાતાવરણથી ખેડૂતોને ભારે નુકસાન
વાવાઝોડાથી વાતાવરણમાં ફેરફાર આવતા કમોસમી વરસાદ વરસ્યો, મે મહિનામાં જ વરસાદી વાતાવરણથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે લાખો હેકટરમાં વાવેલા ડાંગર સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન સહન થવાનો વારો આવ્યો છે. બાગાયતી પાકોને પણ નુકસાન છતાં જગતનો તાત ચિંતામાં મુકાયા છે તૌકતે વાવાઝોડા ટકરાયા બાદ તેની અસરો જોવા મળી.
રાજ્યમાં કરોડોનો પાક બગડી ગયો
રાજ્યમાં કરોડોનો પાક બગડી ગયો છે, દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક અંદાજે 1લાખ 40 હજાર એકરમાં વાવણી કરવામાં આવી હતી. વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ ખાબકયો છે. જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના સૌથી મહત્વના પાક એવા ડાંગર પર થઈ છે.ડાંગરના પાકને અત્યાર સુધીમાં 25થી 30 ટકા જેટલું નુકસાન થયું છે સુરતમાં સરકારી મંડળીઓમાં મુકવામાં આવેલી ડાંગરને નુક્સાન થયું છે,ખેડૂતોનો તૈયાર પાક એડે ગયો છે. હજુ વાવાઝોડાની અસર ચારથી પાંચ દિવસ સુધી લંબાઈ જાય તો ડાંગરના પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
વાવાઝોડાને કારણે કેરી પાકને નુક્સાન થયું
જૂનાગઢમાં પણ વાવાઝોડાને કારણે કેરી પાકને નુક્સાન થયું છે, આંબા અને નારીયેળી સહિતના વૃક્ષા નમી પડ્યા છે, મોટ પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે, કેરીના આંબા જમીનદોસ્ત થયા છે અને કેરીના પાકનો સફાયો બોલઈ ગયો છે, વલસાડમાં પણ કેરીના પાકને નુક્સાન પહોંચ્યું છે, કપરાડા, ધરમપુર, ઉંમરગામમાં આંબા જમીનદોસ્ત થયા છે, જ્યારે રાજપીપળામાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક કમાનોની છત ઉડી ગઈ હતી.
ખેડૂતોને આર્થિક સહાય માંગની ઉઠી
ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોના પતરાં ઉડી ગયા છે. મોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે.ડાંગરના પાકને તેમજ બાગાયતી પાકોને પપૈયા ,કેરી ચીકુ, કેળા જેવા પાકોને સૌથી વધુ નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને આર્થિક સહાય કરવામા આવે તેવી માંગ ઉઠી છે.