હાલ તૌકતે વાવાઝોડું અમદાવાદથી 190 કિલોમીટર જેટલું દૂર છે અને સુરેન્દ્રનગરથી દક્ષિણ પૂર્વમાં 125 કિલોમીટર દૂર
3 કલાકમાં ઘટી શકે છે વાવાઝોડાની તીવ્રતા
વાવાઝોડું અમદાવાદથી 190 કિલોમીટર જેટલું દૂર
સુરેન્દ્રનગરથી દક્ષિણ પૂર્વમાં 125 કિલોમીટર દૂર
તૌકતે વાવાઝોડનું સંકટ હજુ ટળ્યું નથી વાવાઝોડાને લઈ હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે વાવાઝોડું 10 કિ.મી ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ તૌકતે વાવાઝોડું અમદાવાદથી 190 કિલોમીટર જેટલું દૂર છે અને સુરેન્દ્રનગરથી દક્ષિણ પૂર્વમાં 125 કિલોમીટર દૂર છે. વાવાઝોડું છેલ્લા 6 કલાકથી 15 કિ.મી પ્રતિ કલાકની ઝડપ સાથે આગળ વધી રહ્યું છે. આગામી ત્રણ કલાકમાં વાવાઝોડાની તીવ્રતા ઘટી શકે તેવું હવાનાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે.
તૌકતે વાવાઝોડાનું હવે અમદાવાદ પર સંકટ
LAST UPDATED: 12:15 PM, 18 MAY 21
તૌકતે વાવાઝોડાનું હવે અમદાવાદ પર સંકટ મંડરાઈ રહ્યું છે જો કે વાવાઝોડું થોડું ઘણું નબળું પડ્યું છે પરંતું હજું પણ ભારે પવન અને નુક્સાનની આગાહી સેવાઈ રહી છે, અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેનું નિવેદન આપતા જણાવ્યું છે કે 11થી 2 વાગ્યા સુધીમાં તૌકતેની અસર અમદાવાદમાં પણ જોવા મળશે વાવાઝોડાની સંભાવનાને લઇ તંત્રની તૈયારીઓ આરંભી દીધી છે, અમરેલી બાજુથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે,ધંધુકામાં 65 થી 95 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે અમદાવાદના ધંધુકા, ધોલેરા અત્યારે અસરગ્રસ્ત છે જ્યારે વિરમગામ અને માંડલમાં અસર જોવા મળશે. મહત્વનું છે કે સાંજે 5 વાગ્યા બાદ સ્થિતિ સામાન્ય બની શકે છે તમામ ફિલ્ડ ઓફિસર તાલુકા સેન્ટર પર હાજર છે.નાગરિકોને પણ બિનજરૂરી ઘર બહાર ના નીકળવા સૂચના આપી દેવાઈ છે જ્યારે અત્યાર સુધીમાં 4700 લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
અનેક ગામો વાવાઝોડામાં અસરગ્રસ્ત થયા
ભાવનગરમાં મહુવામાં વાવાઝોડની તીવ્ર અસર જોવા મળી 100 કિ.મીની ઝડપે પવન ફુંકાતા અને ઝૂંપડાઓ અને વૃક્ષો ધરાશાયી થયા છે, મહુવામાં ભારે નુક્સાન થયું હોવાનું પણ મનાઈ રહ્યું છે, બીજી તરફ રાજ્ય ભરમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે, વાવાઝોડાને કારણે 4231 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, 1958 ગામોમાં વીજ સપ્લાય ફરી શરૂ કરવામાં આવી છે. જ્યારે હજુ પણ 2273 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ છે. 3502 ગામડાઓમાં ફીડર બંધ થઈ ગયા છે, જ્યારે 1077 વીજપોલ અને 25 ટ્રાન્સમીટર બંધ થયા છે.
NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
તૌકતે વાવાઝોડાને વેરાવળના ભીડિયા બંદરે ફિશિંગ બોટ દરિયામાં ફસાઈ છે જેમાં 8 લખાસીઓ હોવાનું જાણાઈ રહ્યું છે, ખલાસીઓને બચાવવા કોસ્ટગાર્ડ વ્હારે આવ્યું છે જ્યારે અમરેલીમાં લગ્ન પ્રસંગથી પરત ફરતી જાનૈયાઓની બસ ફસાઈ હતી..રાજુલાના જોડિયા હજરિયા ગામે પાસે 18 જાનૈયા ભરેલી બસ ફસાઈ છે વૃક્ષો ધરાશાયી થતા, રાત્રીના 3 વાગ્યે રસ્તો બંધ થવાને કારણે બસ ફસાઈ છે NDRF દ્વારા સતત સંપર્ક કરાઈ રહ્યો છે પરંતું સંપર્ક થઈ શક્યો નથી, જ્યારે અન્ય જવાનો ફસાયેલા લોકોના રેસ્ક્યૂ માટે રવાના થયા છે.
અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ગુજરાતમાં કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી પરતું અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને વૃક્ષો ધરાશાયી થયા છે.તૌકતે વાવાઝોડા મામલે NDRFના ડિરેક્ટર કમાન્ડન્ટનું નિવેદન આપતા જણાવ્યું છે કે પવનની ગતિ વધુ હોવાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા છે NDRFની ટીમ વૃક્ષો હટાવવાની કામગીરી કરી રહી છે, હાલ 6 ટીમ ઓપરેશનમાં લાગી છે.