સોમવારે મોડી રાતે રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પુરી થઈ. મૌસમ વિભાગના જણાવ્યાનુસાર તોફાન થોડુ નબળુ પડી રહ્યુ છે.
ગુજરાતમાં પહોંચી તોફાન થોડુ નબળુ પડી રહ્યુ છે
ગોવામાં એક દિવસ બાદ ફરી ચાલુ થશે વીજળી
સૌરાષ્ટ્રમા તૌક્તે તોફાનની લેન્ડફોલ પ્રક્રિયા પુરી થઈ
ગુજરાતમાં પહોંચી તોફાન થોડુ નબળુ પડી રહ્યુ છે
અરબ સાગરથી ઉઠ્યા ચક્રવાતી તોફાન તૌક્તેએ ગત સોમવારે ગુજરાતમાં પ્રવેશ કર્યો. આની લેન્ડફોલ પ્રક્રિયા સોમવારે મોડી રાતે રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પુરી થઈ. મૌસમ વિભાગે આની જાણકારી આપી છે. વિભાગના જણાવ્યાનુસાર તોફાન થોડુ નબળુ પડી રહ્યુ છે. મામલાની ગંભીરતાને જોતા સોમવારે બપોર સુધી ગુજરાતથી લગભગ 2 લાખ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ પહેલા મહારાષ્ટ્રના કોંકણમાં આ તોફાનને કારણે 6 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
સૌરાષ્ટ્રમા તૌક્તે તોફાનની લેન્ડફોલ પ્રક્રિયા પુરી થઈ
ગુજરાતના સૌરાષ્ટ્રમા તૌક્તે તોફાનની લેન્ડફોલ પ્રક્રિયા પુરી થઈ. દીવ અને ઉનાની વચ્ચે ગુજરાત તટ પર તૌક્તે લગભગ 9 વાગે પહોંચ્યો. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાની પ્રક્રિયા રાતે 12 વાગે જારી રહી. જો કે અધિકારીઓના જણાવ્યાનુસાર આ દરમિયાન કોઈ પણ જાનહાનીના સમાચાર નથી. પીએમ મોદીએ સોમવારે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ. તેમણે દમણ અને દીવના લેફ્ટિનેન્ટ ગવર્નર સાથે ચર્ચા કરી.
ગોવામાં એક દિવસ બાદ ફરી ચાલુ થશે વીજળી
મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત ગોવામાં પણ વાવાઝાડાએ આતંક મચાવ્યો છે. રવિવારે રાજ્યના કિનારાના વિસ્તારોથી પસાર તથા દરમિયાન અહીં વીજળીના 700 થાંભળા પડી ગયા. 200-300 ટ્રાન્સફોર્મર્સને નુકસાન થયુ છે. રાજ્યમાં સીએમ પ્રમોદ સાવંતે કહ્યુ કે તમામ વિસ્તારોમાં વીજળીની સ્થિતિ ફરી ચાલુ કરવા માટે ઓછામાં ઓછો 1 દિવસ લાગશે. ગત સમોવારે ગુજરાતમાં તોફાનથી અસગ્રસ્ત વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા. આ દરમિયાન વિઝન ઓછું થવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થયો હતો.
ભારતમાં શુ રહ્યુ હવામાન
હવામાન વિભાગની જાણકારી આપનારી એજન્સી સ્કાયમેટ વેધરના અનુસાર ગત 24 કલાકમાં ભારતના મઘ્ય અને પૂર્વોત્તર વિસ્તારમાં મન મુકીને વાદળા વરસ્યા. એજન્સી અનુસાર આંધ્ર પ્રદેશના કિનારાના વિસ્તારો, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમમાં ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે જમ્મુ કાશ્મીર, મુજફ્ફરાબાદ, તમિલનાડુ, તેલંગાના, રાજસ્થાનના દક્ષિણ પૂર્વના કેટલાક વિસ્તારો અને કર્ણાટકના અંતરિયાળ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે. મંગવારે ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રના કિનારા પર અનેક જગ્યાઓ પર ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
ભારતીય વાયુસેના અને નૌસેના પણ તૈયાર થઈ રહી છે
દેશના પશ્ચિમ કિનારાના વિસ્તારો તરફ વધી રહેવા તૌક્તેને લઈને ભારતીય વાયુસેના અને નૌસેના પણ તૈયાર થઈ રહી છે. બન્ને સેનાઓ પોત પોતાની સંપત્તિઓની સાથે રાહત કાર્ય માટે તૈનાત થઈ રહી છે. વાયુસેનાએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની રેસ્ક્યૂ ટીમોને એરલિફ્ટ કરવા અને મિશન દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુઓ માટે અનેક વિમાનો તૈનાત કર્યા છે. રક્ષા મંત્રાલય તરફથી રવિવારે મળતી જાણકારી અનુસાર વાયુસેનાના 2 C-130J અને An-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવ્યા છે.