તૌકતે વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓને ખસેડાયા
580 જેટલા કોરોના દર્દીઓને જંબો સેન્ટરમાં ખસેડાયા
પવન અને ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતની સાથે મુંબઈ પર પણ તૌકતે વાવાઝોડાની અસરની સંભાવનાને લઈ BMCએ 580 જેટલા કોરોનાના દર્દીઓને જંબો સેન્ટરમાંથી સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. આ દર્દીઓને દહિસર, બીકેસી અને મુલુંડ જંબો સેન્ટરમાંથી સુરક્ષિત સ્થળ પર ખસેડાયા છે. જેમાં દહિસરથી 183 દર્દી, બીકેસીથી 243 અને મુલુંડથી 154 દર્દીઓને ખસેડાયા છે. હવામાન વિભાગે વાવાઝોડાના કારણે 80 કિમી પ્રતિ કલાક રફતારથી ચાલતી હવાઓને લઈ ચેતવણી આપી છે. સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે.
તૌકતે વાવાઝોડાને લઈ મહત્વનું અપડેટ
અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું વધુ મજબૂત બનવાની સાથે સાયકલોનીક સ્ટોર્મ હવે સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં બદલાયું, 13 કિમિની ઝડપથી દરિયામાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું, હાલ વાવાઝોડું પંજીમ-ગોવાથી 220 કિમી જેટલું દૂર, મુંબઈથી 590 કિમિ દૂર અને વેરાવળથી 820 કિમી દૂર છે.
તૌકતે વાવાઝોડાને લઈ ગુજરાતમાં શું છે સ્થિતિ
તૌકતે વાવાઝોડાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે રાત્રે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડમાં તૌકતે પરિવર્તિત થઈ જશે. ગોવાના પણજીથી 250 કિમી દરિયામાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડામાં પરિવર્તન વખતે પવનની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેશે. જે બાદ તૌકતે વાવાઝોડું 16 મેથી પણજીથી રત્નાગીરી તરફ દરિયામાં આગળ વધશે. અને રત્નાગીરીથી 250 કિમી દૂર સમુદ્રમાં વાવાઝોડુ માર્ગ બદલશે.