તૌક્તેથી કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 મોત થયા.
તૌક્તે 185 કિમી પ્રતિ કલાકની સ્પીડથી સોમવારે રાતે ગુજરાત તટ સાથે અથડાયુ
તૌક્તેના જમીન સાથે અથડાવાની પ્રક્રિયા 2 કલાક સુધી ચાલી
2 મોટી બોટોમાં 410 લોકો તોફાનમાં ફસાયા
તૌક્તે 185 કિમી પ્રતિ કલાકની સ્પીડથી સોમવારે રાતે ગુજરાત તટ સાથે અથડાયુ
અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતી વાવાઝોડુ તૌક્તે 185 કિમી પ્રતિકલાકની સ્પીડથી સોમવારે રાતે 8 વાગે લગભગ ગુજરાત તટ સાથે અથડાયુ. કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 મોત થયા. જેમાં મહારાષ્ટ્રમાં 6ના મોત થયા. આ રાજ્યોમાં હજારો ઘર ધરાશાયી થયા. ત્યારે ગુજરાતમાં દોઢ લાખને સલામત સ્થળે ખસેડાયા છે. આ પહેલા મુંબઈમાં તોફાનથી ભારે નુકસાન થયુ છે. મહારાષ્ટ્રમાં 6 લોકોના મોત થયા છે. ત્યારે 2 મોટી બોટોમાં 410 લોકો તોફાનમાં ફસાયા જેમને બચાવવા માટે નૌસેનાના 3 જહાજોએ મોર્ચો સંભાળ્યો હતો.
તૌક્તેના જમીન સાથે અથડાવાની પ્રક્રિયા 2 કલાક સુધી ચાલી
હવામાન વિભાગ મુજબ તૌક્તેના જમીન સાથે અથડાવાની પ્રક્રિયા 2 કલાક સુધી ચાલી. વાવાઝોડાની પહેલા સોમવારે ગુજરાતમાં 1.5 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. . પીએમ મોદીએ સોમવારે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ તથા દીવના ઉપરાજ્યપાલ સાથે વાત કરી તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ. તેમણે દમણ અને દીવના લેફ્ટિનેન્ટ ગવર્નર સાથે ચર્ચા કરી. અમિત શાહે પણ મુખ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી. ત્રણેય સેનાઓએ એલર્ટ રેહવા માટે નિર્દેશ સાથે સેનાએ ગુજરાતમાં પોતાની 180 ટીમો અને 9 એન્જિનિયર ટાસ્ક ફોર્સને તૈનાત કરી છે.
બોમ્બે હાઈ પર મોટુ અભિયાન ચાલુ છે. સોમવારે સાંજે મુંબઈમાં આવેલા ચક્રવાતી તોફાના કારણે 273 લોકો એક સાથે એક ઓએનજીસી બાર્જ ચાલ્યુ. હવે 146 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 127 લોકો ગુમ છે.
કર્ણાટકમાં 8 લોકોના મોત થયા
તોક્તેથી સોમવારે મહારાષ્ટ્રમાં કોંકણમાં 6 લોકોના મોત થયા. જેમાં રાયગઢના ત્રણ, સિંધુદુર્ગમાં એક અને નવી મુંબઈમાં 2 લોકો માર્યા ગયા. આ ઉપરાંત કર્ણાટકમાં 8 લોકોના મોત થયા છે. ત્યારે રવિવારે તૌક્તેથી 4 લોકોના મોત થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર,ગોવા, કર્ણાટક અને કેરળમાં અત્યાર સુધીમાં 18 મોત થયા છે કર્ણાટકમાં અત્યાર સુધીમાં 333 ઘર, 644 થાંભલા, 147 ટ્રાન્સફોર્મર, 57 કિલોમીટર રોડ, 57 જાળો અને 104 બોટને નુકસાન પહોંચ્યુ છે.
2 મોટી બોટોમાં 410 લોકો તોફાનમાં ફસાયા
મુંબઈથી લગભગ 8 નોટિકલ મીલ દુર બોમ્બે હાઈની પાસે તોફાનની અડફેટમાં આવીને એક મોટી બોટ(બજરા) ભટકી ગઈ. આના પર એન્જિનિયર તથા કર્મચારી સહિત 273 લોકો સવાર હતા. સૂચના પર નૌસેનાએ આઈએનએસ કોચ્ચી તથા તલવારના તાત્કાલીક બચાવ માટે રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીએએલ કન્સ્ટ્રક્ટરની એક બોટ પણ ભટકી ગઈ જેના પર 137 લોકો સવાર હતા. આઈએનએસ કોલકત્તાને આના બચાવ માટે લગાવવામાં આવી છે.
ગુજરાતમાં 2 દશક બાદ આ પ્રકારનુ ભયંકર વાવાઝોડુ
ગુજરાતમાં 2 દશક બાદ આટલુ ભયંકર વાવાઝોડુ આવ્યું છે. આ પહેલા 1998માં કંડલામાં આવેલા તોફાને તારાજી સર્જી હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ દરમિયાન ગુજરાતમાં 190-210 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ચાલશે. આને શ્રેણી 3નું તોફાન મનાઈ રહ્યુ છે. ગુજરાતની અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 54 ટીમ તૈનાત કરવામાં આવી છે. 1998ના તોફાનમાં 4 હજારથી વધારે લોકોના મોત થયા હતા. સીએમ વિજય રુપાણીએ કહ્યુ કે સ્થિતિને પહોંચી વળવા તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ.
એશિયાઈ સિંહો પર નજર
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળતા એશિયાટીર સિંહો પર પણ તોફાનનું સંકટ છે. તૌક્તેથી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાનની આશંકા છે. આ વિસ્તારોમાં લગભગ 40 સિંહો છે. વન્ય જીવ વિભાગ આના પર પુરી નજર રાખી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર સિંહોને પહેલાથી ઉંચાઈ વાળા સ્થાને ખસેડાયા છે.