અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમનો વિવાદ દિવસેને દિવસે વધુ ગુંચવાઈ રહ્યો છે. હાલમાંજ અમદાવાદમાં નિત્યાનંદ સ્વામીના આશ્રમમાંથી ગુમ થવાનો દાવો કરાઈ રહેલી બે યુવતીમાંથી એક નિત્યા તત્વપ્રિયાએ વીડિયો દ્વારા હું સલામત છું નો સંદેશ આપ્યો હતો ત્યારે ફરી એકવાર તેણે વીડિયો પોસ્ટ કર્યો છે.
આશ્રમવાસીઓને પોલીસ ખોટી રીતે હેરાન કરે છે
હું સલામત છું
મેં સાધુ બનવાનું પસંદ કર્યુ છે
નિત્યા તત્વપ્રિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે પોતાના બંધારણીય હવાલો આપતા પોલીસ અને મીડિયા સામે હેરાનગતીનો આક્ષેપ કર્યો છે. મને મારી જીંદગી મારી રીતે જીવવાનો અધિકાર છે તેમ કહીને વકીલ, પોલીસ અને મીડિયાને આડે હાથ લીધા છે. મેં મારી ઈચ્છાથી હિન્દુ સાધ્વીની લાઈફ પસંદ કરી છે.
શું છે વીડિયોમાં
તત્વપ્રિયાએ ફરી એકવાર આશ્રમની તરફેણ કરતા જણાવ્યુ હતુ કે, હું હાલ ત્રિનીદાદ છું. 40થી વધુ પોલીસ દ્વારા આશ્રમમાં આવીને આશ્રમવાસીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. વકીલ આશ્રમમાં આવી હેરાનગતિ કરે છે. મારી સાથે કેટલાય પ્રકારની બળજબરાઇ કરાઇ છે. આશ્રમ પર તથ્યવિહીન આક્ષેપો લગાવાઇ રહ્યાં છે. અમારી સામાન્ય પારિવારીક સમસ્યા છે. આ પારિવારીક મેટરમાં આશ્રમને વચ્ચે ન લાવો તો સારૂ. આશ્રમ સંચાલિકા સાથે પણ પોલીસ અને વકીલો દ્વારા બળજબરી કરાઇ રહી છે: તત્વપ્રિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમે બંને બહેનો ખુશ છે,અમારા કામથી નીકળ્યા છીએ.