કોરોનાના સમયે નવરાત્રી અને દિવાળીમાં પણ ભાવકો મંદિરમાં દર્શનનો લાભ નથી મેળવી શકતા. આ સમયે વર્ચ્યુઅલ પૂજાનો કોન્સેપ્ટ વધુને વધુ પ્રચલિત બનતો જાય છે.
એવામાં અમદાવાદમાં એક તથાસ્તુ લાઈવનામનું સ્ટાર્ટ અપ શરુ કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપમાં ભાવકોને પ્રસાદ ધરાવવાથી લઇને પ્રસાદની ઘર સુધી ડિલિવરીની સેવા આપવામાં આવે છે. તમે પણ https://www.tathastulive.com/ ઉપર તમારો પ્રસાદ બુક કરાવી શકો છો.
તથાસ્તુ લાઈવમાં અત્યારે દેશના 31 મંદિરો જોડાયેલા છે જેમાં અયોધ્યા રામ મંદિરનો સમાવેશ થાય છે. આ માટે તેઓએ મંદિરના સત્તાધીશો સાથે અને પ્રસાદ વિતરણ કરાવનારાઓ સાથે વાતચીત કરી છે. પ્રસાદ 3 થી 5 દિવસમાં પહોંચી જાય છે.
આવી જ રીતે દિલ્હીમાં દુર્ગા પૂજાના આયોજકોએ ખાસ તૈયારી કરી છે. આ અંતર્ગત ઓનલાઇન દર્શન અને ભક્ત ને ઘરે પ્રસાદ પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત પૂજારીઓ અને રસોઈયાઓનો પણ કોવિડ 19 ટેસ્ટ કરવામાં આવશે. દિલ્હીની સમિતિએ નિર્ણય લીધો છે કે સામાન્ય લોકોને પ્રવેશની અનુમતિ નહીં આપવામાં આવે અને ફક્ત સમિતિનો સભ્યો જ દર્શન કરી શકશે.