સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી ન કરાતા હવે ટેટ પાસ ઉમેદવારોએ સરકાર સામે શિક્ષક દિન નીમિતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત સરકાર સામે કરશે આંદોલન
TET પાસ ઉમેદવારો લડાઇના મૂડમાં
5 સપ્ટેમ્બરે ઉપવાસ આંદોલન કરશે
સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી ન કરાતા હવે ટેટ પાસ ઉમેદવારોએ આંદોલનનો મૂડ બનાવ્યો હોય તેવુ લાગી રહ્યું છે.
TET પાસ ઉમેદવારો લડાઇના મૂડમાં
ગુજરામાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકોની ભરતી કરવાની વાત કરવામાં આવે છે પરતું ત્રણ ચાર વર્ષ વિત્યા બાદ પણ શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા હવે ટેટ પાસ ઉમેદવારો સરકાર સામે આંદોલનનો મૂડ બનાવી રહ્યા છે.
ટેટ પાસ ઉમેદવારોએ સરકાર સામે શિક્ષક દિન નીમિતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ટેટની પરીક્ષા પાસ કરી ચુકેલા ઉમેદવારોએ શિક્ષક દિનના દિવસે જ આંદોલન કરશે તેવી વિગતો સામે આવી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકોની ભરતી ન કરવામાં આવતા ટેટ પાસ કરેલા ઉમેદવારોમાં સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત સરકાર સામે કરશે આંદોલન
47000 ટેટ-2 પાસ ઉમેદવારો 3 વર્ષ થી ભરતી ની રાહ જોઈ રહ્યા છે. કેટલાક ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે અગાઉ પણ ધોરણ 6 થી 8 ઉચ્ચતર પ્રાથમિકમાં વિદ્યાસહાયક ભરતીની માટે ઉમેદવારો રજૂઆત કરી ચુક્યા છે પરતું હજુ સુધી ભરતી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
5 સપ્ટેમ્બરે ઉપવાસ આંદોલન કરશે
મહત્વનું છે કે આ અગાઉ શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે ધોરણ 1 થી 5માં 1300 શિક્ષકોની ભરતી કરશે તેમજ ધોરણ 6થી8માં 2000 શિક્ષકોની ભરતી કરશે આમ કુલ 3900 શિક્ષકોની ભરતી કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.પરતું હજુ સુધી સરકારે કોઈ શિક્ષકોની ભરતી ન હવે ટેટ પાસ ઉમેદાવારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
47 હજાર ઉમેદવારને નોકરી મળી નથી
ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ (ટાટ-2)ની પરીક્ષા લીધા પછી નિયમ પ્રમાણે જાહેર કરાયેલી ખાલી જગ્યાના 60 ટકા બેઠક પર ભરતી કરવાની હોય છે, પણ ટાટ-2ની પરીક્ષા પાસ કરેલા 47 હજાર ઉમેદવારને નોકરી મળી નથી. બીજી બાજુ છેલ્લાં બે વર્ષ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે આઠ હજાર ખાલી જગ્યા હોવા છતાં સરકાર ભરતી કરતી ન હોવાથી ટાટ-2માં ઉર્તીણ થનારા 47 હજાર ઉમેદવારો નિરાશામાં સપડાઈ ગયા છે.