સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને ભારતમાં પણ ધીમી ગતિએ કોરોના પોતાની પક્કડ બનાવી રહ્યો છે ત્યારે દેશના અગ્રણી બિઝનેસ ગ્રુપમાંથી એક ટાટા ટ્રસ્ટે આ આફત સામે લડવા માટે 500 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.
કોરોના સંકટ સામે લડવા ટાટા ટ્રસ્ટે આપ્યું 500 કરોડનું દાન
ટાટા સન્સે 1000 કરોડોનું આપ્યું દાન
રતન ટાટાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી જાહેરાત
રતન ટાટાએ પોતાના સત્તાવાર ટ્વીટર પણ આ દાન અંગેનો એક પત્ર પોસ્ટ કરીને 500 કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ટાટા સન્સે 1000 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ COVID-19 રાહત ભંડોળ માં આ દાન આપવાની તેમણે જાહેરાત કરી હતી.
The COVID 19 crisis is one of the toughest challenges we will face as a race. The Tata Trusts and the Tata group companies have in the past risen to the needs of the nation. At this moment, the need of the hour is greater than any other time. pic.twitter.com/y6jzHxUafM
તેમનું આ દાન તબીબી કર્મચારીઓ માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો ખરીદવા, વધતા જતા કેસોની સારવાર માટે શ્વસન પ્રણાલી, કિટ્સના પરીક્ષણ, મોડ્યુલર સારવાર સુવિધાઓ સ્થાપિત કરવા અને આરોગ્ય કર્મચારીઓની તાલીમ આપવા માટે કરવામાં આવશે.
કામય ડોનેશનમાં રહ્યા છે અગ્રેસર
આપને જણાવી દઇએ કે, ટાટા ટ્રસ્ટ દ્વારા આ પહેલા પણ અનેક વખત દાનની સરવાણી વહેવડાવતા હોય છે. 26/11 ના હુમલા વખતે પણ તેમણે મૃતકો માટે મોટું દાન કર્યં હતું તો દેશ પર આવેલી આફત સામે પહોંચી વળવા માટે કરોડો રૂપિયાનું દાન કરતા રહ્યા છે.