ટાટાએ ઓક્સિજન સપ્લાયને વધારીને 800 ટન પ્રતિદિન કરી દીધો
કોરોનાની જંગ જીતવા ભારતનું બિઝનેશ જગત પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. આ શ્રેણીમાં ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલમાં હવે હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયને વધારીને 800 ટન પ્રતિદિન કરી દીધો છે. ટાટા સ્ટીલે કહ્યું કે કોવિડ 19 દર્દીઓના ઉપચાર માટે લિક્વિડ ઓક્સિજનની આપૂર્તિને હજું વધારીને 800 ટન પ્રતિદિન કરી દીધી છે.
આ પહેલા સોમવારે કંપનીએ કહ્યુ હતુ કે તેમણે હોસ્પિટલો માટે ઓક્સિજન આપૂર્તિ સીમા વધારીને 600 ટન કરી દીધી છે. હવે બે દિવસ બાદ જ હોસ્પિટલની સ્થિતિ જોતા કંપનીને 200 ટન ઓક્સિજન દર રોજના હિસાબે વધારી દીધો છે.
ટ્વીટ કરી જાણકારી આપી
ટાટા સ્ટીલે ટ્વીટ પર કહ્યુ કે ટાટા સ્ટીલના લિક્વિડ ઓક્સિજનની આપૂર્તિે હજું વધારીને પ્રતિ દિન 800 ટન કરી દીધી છે. કોવિડની વિરુદ્ધ સંઘર્ષ જારી છે. અમે ભારત સરકાર અને રાજ્યોની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જેથી માંગ પુરી થાય અને લોકોના જીવ બચાવી શકાય. હકિકતમાં કંપની દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. ઓક્સિજનની અછતથી લોકોના જીવ ન જાય એટલા માટે કંપનીએ એક અઠવાડિયાની અંદર ફરી ઓક્સિજન સપ્લાય વધારવાની જાહેરાત કરી છે.
#TataSteel has further increased supplies of Liquid Medical Oxygen to 800 tons per day. Our endeavour to #FightAgainstCovid continues. We are closely working with GoI and States to address the demand and save precious human lives. @PMOIndia@TataCompanies
ત્યારે કોરોનાને કારણે કેટલાક રાજ્યોમાં લાગેલા લોકડાઉનથી ડિમાન્ડ- સપ્લાય પર અસર ન થઈ શકે તે માટે કંપનીએ આ પ્લાન બનાવ્યો છે. આને લઈને ટાટા મોટર્સનું માનવું છે કે લોકડાઉનની જેમ લગાવવામાં આવેલા પ્રતિબંધો અસ્થાયી રુપથી વાહનોના વેચાણ પર પ્રભાવ નાંખશે. એટલા માટે કંપનીએ આને પહોંચી વળવા માટે પ્લાન બનાવ્યો છે. કંપની આ બિઝનેસ પ્લાનના માધ્યમથી અસ્થાઈ રુપે બેચાણમાં આવનારા ઘટાડાને પહોંચી વળવા માટે પોતાના ગ્રાહકો અન ડીલર્સને ઈન્ટ્રેસ્ટ બનાવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીના આ પ્લાનનો હેતુ ડીલરોની પાસે ઈન્વેસ્ટ્રીજને વધારવાનો નથી બલ્કે ડિમાંડને પૂરી કરવા માટે સ્ટેકને મેન્ટેન રાખવાનો છે. કંપની આનાથી પોતાની કારોની સપ્લાઈ અને ડિમાન્ડને મેન્ટેન રાખવાનીયોજના બનાવી રહી છે અને આ મુશ્કેલીનો સમય ખતમ થયા બાદ ડિમાન્ડ વધવા પર આના સપ્લાયને વધારવાની યોજના પર કામ કરી રહી છે.