દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી બાદ હવે ટાટા મોટર્સ પણ ડીઝલ ગાડીઓ બંધ કરવાની તૈયારીમાં છે. ટાટા મોટર્સ હાલ Tiago, Tigor, Bolt અને Zest જેવી ડીઝલ ગાડીઓનું વેંચાણ કરે છે.
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી બાદ હવે ટાટા મોટર્સ પણ ડીઝલ ગાડીઓ બંધ કરવાની તૈયારીમાં છે. કંપની તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વધારે ખર્ચાના કારણે નાની ગાડીઓ માટે નવા એમિશન નૉર્મ્સના હિસાબથી ડીઝલ એન્જીન ડેવલેપ કરવું ફાયદાકારક હશે નહીં, કારણ કે એનાથી ગાડીઓના ભાવ વધશે અને એની ડિમાન્ડ ઓછી રહેશે.
તમને જણાવી દઇએ કે મારૂતિ એપ્રિલ 2020થી ડીઝલ ગાડીઓનું વેંચાણ બંધ કરવાની જાહેરાત કરી ચુકી છે. જો કે દેશીની સૌથી મોટી કાર કંપની હ્યૂંડે મોટર ઇન્ડિયા ઉપરાંત ટોયોટો મોટર અને ફોર્ડ મોટરની લોકલ યૂનિટ્સનું કહેવું છે કે નવા એમિશન નૉર્મ્સના પાલનવથી ખર્ચમાં વધારો થવા છતાં ઇન્ડિયામાં ડીઝલ એન્જીનની ગાડીઓ વેચાતી રહેશે.
ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસ યૂનિટના પ્રેજિડન્ટે જણાવ્યું કે BS-VI એમિશન નિયમના લાગૂ થયા બાદ નાની ડીઝલ ગાડીઓના મામલે કમ્પ્લાયમ્સ મોંઘુ થઇ જશે.
કંપનીનો ખર્ચ વધી જશે. એવામાં ગાડીઓના ભાવ વધારવા પડશે. એટલા માટે સ્વાભાવિક રૂપથી ડીઝલ ગાડીઓને વેચાણમાં ઘટાડો આવશે. અમને લાગે છે કે એન્ટ્રી અને મિડ સાઇઝના ડિઝલની માંગ ઓછી રહેવાથી ઓછી કેપેસિટીના એન્જીનના ડેવલેપમેન્ટમાં આવનારો મોટો ખર્ચો વ્યાજબી હશે નહીં.
મારૂતિ સુઝુકી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે BS-VI એમિશન નિયમ લાગૂ થયા બાદ ડીઝલ ગાડીઓનું વેંચાણ બંધ કરવાનું પગલું ભરશે, કારણ કે નવા રેગ્યુલેશનના હિસાબથી ડીઝલ એન્જીનને અપગ્રેડ કરવામાં મોટો ખર્ચો થશે.