રતન ટાટા અને સાઈરસ મિસ્ત્રીની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે.
રતન તાતા અને સાઈરસ મિસ્ત્રી વચ્ચેના વિવાદમાં નવો વળાંક
ઘણા સમયથી ચાલી રહ્યો છે વિવાદ
જાણો શું છે સમગ્ર મામલો
ટાટા-મિસ્ત્રી વિવાદ એક વખત ફરી વધી શકે છે. હકીકતે રતન ટાટા (Ratan Tata) અને સાઈરસ મિસ્ત્રી (Cyrus Mistry)ની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે. ખબર છે કે ટાટા ગ્રુપની (Tata Group) હોલ્ડિંગ કંપની ટાટા સન્સના (Tata Sons) શેરને ગિરવી રાખવામાં આવશે. જણાવી દઈએ કે સંબંધમાં મિસ્ત્રી પરિવારની કંપનીએ 25 સપ્ટેમ્બરે કંપની રજીસ્ટ્રારની પાસે દસ્તાવેજ જમા કરાવ્યા છે.
ઘણા સમયથી ચાલી રહ્યો છે વિવાદ
મીડિયો રિપોર્ટ્સ અનુસાર, કાયદાકિય નિષ્ણાંત આ પગલાને 'સંભવિત રૂપથી વિવાદાસ્પદ' માની રહ્યું છે. કારણ કે ટાટા સન્સ પહેલા પણ મિસ્ત્રીના આ પ્રકારના પગલાં પર આપત્તિ દર્શાવી ચુક્યા છે. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં મિસ્ત્રી પરિવારની 18 ટકા ભાગીદારી છે. સાઈરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવ્યા બાદ 2016માં ટાટા અને મિસ્ત્રીની વચ્ચે વિવાદ છેડાઈ ગયો.
6,600 કરોડ રૂપિયા ભેગા કરશે
મિસ્ત્રી પરિવાર દ્વારા Sterling Investment Corp કંપની રજીસ્ટ્રારની પાસે જે દસ્તાવેજ જમા કરાવ્યા છે તે અનુસાર પ્રમોટર્સ ગ્રુપની કંપની Evangelos Ventures દ્વારા 6,600 કરોડ રૂપિયા ભેગા કરશે. તેના માટે ટાટા સન્સના શેરને ગિરવે મુકવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટના પ્રમોટર, જે ટાટા સન્સમાં 9.185 ટકાના ભાગીદાર છે. સમુહની કંપની ઈવેન્જેલોસ વેન્ચર્સના માધ્યમથી ટાટા સન્સના શેરને ગીરવે મુકીને 6,600 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહ્યા છે.
શું છે મામલો?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટની પાસે ટાટા સન્સના શેરને સ્ટાડર્ડ ચાર્ટર્ડ બેન્કની પાસે ગીરવે મુકવામાં આવ્યા હતા. શાપુરજી પલ્લોનજી એન્ડ કંપની લિમિટેડના 2,800 કરોડ રૂપિયાની બાકી લોન માટે તેને ગિરવે મુકવામાં આવ્યા હતા. જોકે દસ્તાવેજો અનુસાર આ લોનનો પાછલા મહિને સમયથી પહેલા ચુકવણી કરવામાં આવી હતી અને બેન્કે શેરોને જાહેર કરી દીધા હતા. આ વિશે શાપુરજી પલોન્જી એન્ડ કંપની અને ટાટા સન્સે તેમને મોકલેલા કોઈ ઈમેલનો જવાબ નથી આપ્યો.