ગઇકાલના મેચમાં સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર ટકેલી હતી. ધોની પણ છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા આવ્યો અને તેના એક જ શોટે મેદાનમાં બેઠેલા લોકોના દિલ જીતી લીધા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટથી હાર થઈ
ધોનીના એક શોટે જીત્યા દર્શકોના દિલ
ધોનીએ અંતમાં અણનમ 14 રનની ઇનિંગ રમી
IPL 2023ની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટથી હાર થઈ હતી. CSKએ પહેલા બેટીંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો.
ધોનીના એક શોટે જીત્યા દર્શકોના દિલ
જો કે આ મેચમાં સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર ટકેલી હતી. ધોની પણ છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા આવ્યો અને તેના એક જ શોટે મેદાનમાં બેઠેલા લોકોના દિલ જીતી લીધા હતા. CSKની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ધોનીએ યુવા ખેલાડી જોશુઆ લિટલની બોલ પર 85 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી. મહત્વનું છે કે 19મી ઓવરના ત્રીજા બોલ પર ધોનીનું બેટ જોરદાર સ્વિંગ થયું અને બોલ લેગ સાઇડથી ઘણો નીચે પડ્યો. માહીના આ એક શોટથી ગ્રાઉન્ડમાં બેઠેલા હજારો લોકો ઘણા ખુશ થયા હતા અને એવું દર્શાવી રહ્યા હતા કે તેઓ ધોનીને આ રીતે રમતા જોવા માટે જ ત્યાં આવ્યા છે.
ધોનીએ અંતમાં અણનમ 14 રનની ઇનિંગ રમી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. CSK તરફથી રૂતુરાજ ગાયકવાડે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે જ સમયે મોઇન અલીના બેટએ 23 રન આવ્યા હતા. આ સિવાય એમએસ ધોનીએ અંતમાં અણનમ 14 રનની ઇનિંગ રમી હતી. ગુજરાતની વાત કરીએ મોહમ્મદ શમી, અલઝારી જોસેફ અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી હતી. જ્યારે જોશુઆ લિટલને એક વિકેટ મળી હતી.
CSKએ ગુજરાત સામે સતત ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો હતો. CSKની હાર પછી કેપ્ટન ધોનીએ નિરાશા વ્યક્ત કરતા હારનું કારણ જણાવ્યું છે.
ધોનીએ જણાવ્યું હારનું કારણ (MS Dhoni Statement)
-ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ પછી નિવેદન આપ્યું છે કે, ‘અમને ખબર હતી કે, લોસ થશે. બેટીંગમાં સારું પ્રદર્શન કરી શકતા હતા. ઋતુરાજ ગાયકવાડ શાનદાર હતા, તેઓ ખૂબ જ સારી બેટીંગ કરતા હતા. મને લાગી રહ્યું છે કે, યુવા ખેલાડીઓ રમે તે વધુ જરૂરી છે.’
- ધોનીએ ડેબ્યૂ બોલર રાજવર્ધન હંગરગેકર વિશે જણાવ્યું છે. તેઓ જણાવે છે કે, રાજવર્ધન વધુ સારી રીતે રમી શકતા હતા અને સમયની સાથે તેઓ વધુ સારૂ રમશે. મને લાગી રહ્યું છે કે, તેઓ એક સારા બોલર બનશે. નો-બોલ એક એવી વસ્તુ છે, જે તમારા કાબૂમાં રહે છે. આ કારણોસર તમારે તેના પર કામની જરૂરિયાત છે.
- ધોનીએ ડાબોળી ખેલાડીઓ વિશે નિવેદન આપતા જણાવ્યું છે કે, તેમની ટીમ સારી બોલિંગ કરી હતી. ‘મને લાગી રહ્યું છે કે, ડાબોળી બોલર એક સારો વિકલ્પ છે, આ કારણોસર હું તેમની સાથે ગયો હતો. શિવમ એક સારો વિકલ્પ હતો.’