AIR ઇન્ડિયાના નવા માલિકની આજે આધિકારીક ઘોષણા કરી દેવામાં આવી છે. 68 વર્ષ બાદ ટાટાને એર ઇન્ડિયા સોંપી દેવામાં આવી છે.
68 વર્ષ બાદ એર ઇન્ડિયાની ઘરવાપસી
18000 કરોડ રૂપિયાની લગાવી બોલી
એર ઇન્ડિયા હવે ટાટા ચલાવશે
સરકારનો ખુલાસો
સરકારી એરલાઇન એર ઈન્ડિયાના નવા માલિક તરીકે ટાટા ગ્રૂપનું નામ ફાયનલ થઈ ગયુ હોવાની જાહેરાત આવી હતી. જે મીડિયા દ્વારા પણ છાપવામાં આવી હતી પરંતુ હવે આધિકારીક રીતે આ વાતનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સમાચાર આવ્યા હતા કે એર ઈન્ડિયાની વેચાણ પ્રક્રિયામાં ટાટા સમૂહ દ્વારા સૌથી વધુ બિડ લગાવવામાં આવી હતી.
AIR INDIAની શરૂઆત 1932માં ટાટા ગ્રુપ દ્વારા જ કરવામાં આવી હતી. ટાટા ગ્રુપના દિગ્ગજ જે.આર.ડી ટાટાએ તેની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 1947 માં રાષ્ટીય જરૂરિયાત ઊભી થતાં સરકારે 49% હિસ્સો ખરીદી લીધો હતો.
ત્યાર બાદ 1953 માં સરકારે એર કોર્પોરેશન એક્ટ પાસ કરીને મેજર હિસ્સો લઈ લીધો હતો અને સરકાર દ્વારા સંચાલન થતું હતું. અને હવે ફરી ટાટા ગ્રુપે જ તેની માલિકી મેળવી હોવાના સમાચાર આવી રહ્યા હતા પણ બાદમાં આ સમાચાર ખોટા હોવાની પુષ્ટિ સરકાર દ્વારા જ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયા સર્વિસ શરૂઆતમાં સારી આપતી હતી પણ આખરે તે પ્રાઇવેટ એરલાઇન્સ સામે એર ઈન્ડિયા માર જીલી શકી નહોતી અને આખરે સરકારે તેને ખોટ કરવા કરતાં વેચવાની જરૂર ઊભી થઈ હતી.
"Welcome back, Air India," tweets Ratan Tata on Tata Sons winning the bid for Air India pic.twitter.com/Fg5bmwqa3S
2018 થી એર ઈન્ડિયા તેની 76% હિસ્સેદારી વેચવાની ટ્રાય કરી રહ્યું હતું અને હવે આખરે ડીલ પાર પડી હોવાના સમાચાર હાલ પૂરતા ખોટ હોવાની માહિતી સરકારે આપી હતી.
કોણ હતા હરીફો?
સ્પાઇસ જેટના અજય સિંહ પણ હરીફોમાં સામેલ હતા પણ આખરે એરલાઇન્સ મૂળ માલિક પાસે પરત ફરી હતી. આખરે 68 વર્ષ બાદ ફરી ટાટા માલિક બને તેવી અટકળો હતી. એરલાઇન્સ ઊભી કરવી એ રતન ટાટાનું પણ સપનું હતું અને હવે એ સિદ્ધ થાય તેવી શક્યતા છે.