અગાઉ પેપર લીક થઈ જવાને કારણે TATની પરીક્ષા રદ્દ થઈ હતી. જે હવે અમદાવાદમાં 27મી જાન્યુઆરીના રોજ TATની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પેપર ફૂટવાને કારણે આ પરીક્ષા અગાઉ રદ્દ કરી દેવામાં આવી હતી. પરીક્ષાનું આયોજન બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કરવામાં આવશે.
TATની પરીક્ષા અમદાવાદ ગ્રામ્ય ગાંધીનગર ભાવનગર સુરત વડોદરા રાજકોટ અને જૂનાગઢમાં યોજાશે. પરીક્ષા દરમ્યાન કોઈ પણ અણબનાવ ન બને તેની માટે બોર્ડ પણ સતર્ક રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વખતે TATનું પેપર લીક થયું હતું અને ત્યાર બાદ LRDની પરીક્ષા પણ પેપર લીકને કારણે રદ્દ થઈ હતી. જેના પગલે રાજ્યના લાખો યુવાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી બાજુ આ પરીક્ષા દરમ્યાન સૌથી મોટો સવાલ લોકોને મૂંઝવતો હોય તો તે છે EBCનો. સવર્ણોને 10 ટકા અનામત લાગુ કરનાર ગુજરાત રાજ્ય પ્રથમ બન્યું છે ત્યારે આ પરીક્ષામાં EBC લાગુ પડશે કે નહીં તે સૌ કોઈ જાણવા માંગે છે. જો કે આ પરીક્ષામાં EBC લાગુ નહીં પડે તેવી માહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ડૅપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યની તમામ સરકારી પરીક્ષાઓ મોકૂફ કરી દેવાઈ છે. EBCના નિયમો સ્પષ્ટ થાય ત્યાર બાદ જ પરીક્ષાઓ લેવાશે જેથી EBCનો લાભ મળે.