TAT 1 અને 2ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે. શિક્ષકની ભરતી ન થવાના કારણે પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારો ધરણા પર બેઠા છે. શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યા હોવા છતાં ભરતી ન કરવાનો આક્ષેપ કર્યો છે.
ઉમેદવારોનું કહેવું છે કે, છેલ્લા બે વર્ષથી શિક્ષકોની ભરતીની માગ કરવામાં આવી રહી છે. સરકારે 6870 શિક્ષકોની ભરતીનું વચન આપ્યું હતું. તેમ છતાં ભરતી ન થતાં આખરે બેરોજગાર ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા અને ધરણા પર બેઠા છે. બેરોજગારઓ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો ભરતી નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરીશું.