ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ બની છે ત્યારે ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબોએ લોકોને માસ્ક પહેરવા અને ભીડ ન કરવા કરી અપીલ
ગુજરાતમાં કોરોનાની બેકાબૂ પરિસ્થિતિ
ટાસ્ક ફોર્સ દ્વારા કોરોના મુદ્દે કરાયા કેટલાક સૂચન
માસ્ક પહેરવા અને ભીડ ન કરવા લોકોને કરી અપીલ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. સુરતમાં સ્મશાનોની લાઈન લાગી ગઈ છે. તો બીજી તરફ દર્દીઓ માટે ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા નથી. આમ છતાં રાજ્યમાં લોકડાઉન જેવા કોઈ નક્કર પગલા લેવાયા નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મોરબી અને રાજકોટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હોસ્પિટલમાં બેડ વધારવાની જાહેરાત કરી હતી. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તો સ્મશાનમાં જોવા મળી રહી છે. આ વચ્ચે હેલ્થ વિભાગ દ્વારા ગઠન કરવામાં આવેલી ટાસ્ક ફોર્સનું નિવેદન આવ્યું છે. ટાસ્ક ફોર્સની મીટિંગમાં નિષ્ણાતો દ્વારા કેટલાક સૂચનો કરાયા છે.
અત્યાર સુધીનો ખતરનાક વાયરસ કોરોના છેઃ તબીબ
તબીબોએ કહ્યું કે, વાયરોલોજીના તમામ સિદ્ધાંતને પણ આ વાયરસે તોડ્યા છે. આ વાયરસ પ્લસ 48 ડિગ્રીમાં ટકી ગયો અને 48 ડિગ્રી માઈનસમાં પણ ટકી ગયો છે. સાથે ચોમાસા અને શિયાળા, ઉનાળામાં પણ વાયરસ ટકી ગયો છે. અત્યાર સુધીના તમામ ઈન્ફેક્શનમાં આ વાયસર અલગ છે. આ તમામ વચ્ચે તબીબો પોતાની પૂરતી મહેનત કરી રહ્યા છે. સિનિયરથી લઈ સામાન્ય મેડિકલ કર્મચારી આ વાયરસ સામે લડી રહ્યા છે.
માસ્ક પહેરવા પર આપ્યું જોર
તબીબો અપીલ કરી છે કે, આપને 1920ના સ્પેનિશ ફ્લૂના સમયથી ખબર છે કે, વાયરસથી બચવા માસ્ક પહેરવું જોઈએ. તમે સંક્રમિત છો અને માસ્ક પહેરતા નથી. તો તમે અન્યને ચેપ લગાવી રહ્યા છો. સંક્રમણ લાગ્યું હોય કે નહીં. માસ્ક પહેરવું જરૂરી છે. સાથે ભીડ ન કરવા પણ લોકોને અપીલ કરી છે. સાથે કહ્યું, દવાઓ વિશે ડૉક્ટરોને તમામ માહિતી છે. પરંતુ લોકોએ પોતાની રીતે જાગૃત રેવું જોઈએ.
વેક્સિન લઈ લેવી જોઈએ
ટાસ્ક ફોર્સના તબીબોએ કહ્યું કે, અમને રોજ વેક્સિન વિશે પૂછવામાં આવી રહ્યું છે. વેક્સિન લેવી જોઈએ કે નહીં. તેવા સવાલ ન પૂછો. વેક્સિન લઈ જ લેવી જોઈએ. તેવી સલાહ તબીબો આપી રહ્યા છે. સાથે કહ્યું, કે જે વેક્સિન હાલમાં હાજર છે. તેમાંથી કોઈપણ વેક્સિન લઈ શકયા છે. તમામનું સ્ટાન્ડર્ડ વેરિફિકેશન થયું જ છે. તબીબોના મત પ્રમાણે વેક્સિન લીધા પછી કોરોના ન લાગે તેવું નથી. પરંતુ જો વેક્સિન લીધી હશે. તો કોરોનાની અસર ઓછી થઈ જશે. જીવ બચી શકે તેનું પ્રમાણ વધારે છે.