પુલવામા આતંકી હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા પર ટાસ્ક ફોર્સ બનાવેલ છે. આ ટાસ્ક ફોર્સની આગેવાની લેફ્ટિનેંટ જનરલ ડીએસ હુડ્ડા કરશે. ડીએસ હુડ્ડા 2016માં પાકિસ્તાની આતંકી લોન્ચપેડ પર સર્જીકલ સ્ટ્રાઇકની યોજના બનાવનાર ટીમનો ભાગ હતાં. આ ટાસ્કફોર્સ રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દા પર એક્સપર્ટ્સને મળીને દેશનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે.
આ પહેલાં ડીએસ હુડ્ડાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે પૂરા દેશે એકજુથ થઇને આતંકવાદ વિરૂદ્ધ સરકાર સાથે ઉભા રહેવું જોઇએ અને પાકિસ્તાન વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. તેઓએ જણાવ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આર્મી ઉપર પ્રેશન નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાનનાં જવાન આતંકવાદનું સમર્થન કરતા રહેશે.
સર્જીકલ સ્ટ્રાઇક દરમ્યાન લેફ્ટિનેંટ જનરલ ડીએસ હુડ્ડા સેનાનાં ઉત્તરી કમાનનાં પ્રમુખ હતાં. તેઓએ સર્જીકલ સ્ટ્રાઇકનું લાઇવ ઓપરેશન જોતાં સેનાનાં પરાક્રમની કમાન સંભાળી હતી. ડીએસ હુડ્ડા ભારતીય સેનાનાં ઉત્તરી કમાનનાં જનરલ ઓફિસર કમાંડિગ-ઇન-ચીફ રહી ચૂકેલ છે.
Congress President @RahulGandhi met with Lt Gen DS Hooda (retd) to institute a task force on National Security which will prepare a vision paper for the country. Gen Hooda will lead the task force & work with a select group of experts. pic.twitter.com/06zfIjfbeJ
પુલવામા એટેકને લઇને કોંગ્રેસને પૂછ્યાં સવાલઃ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું અને લખ્યું પુલવામામાં શહીદ થયેલ 40 જવાનોને 'શહીદ'નો દરજ્જો નથી આપવામાં આવેલ. પરંતુ અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયા ગિફ્ટમાં આપવામાં આવેલ છે.
સર્જિકલ સ્ટ્રાઇકનાં પ્રચાર વિરૂદ્ધ હતાં ડીએસ હુડ્ડાઃ
તમને જણાવી દઇએ કે ડીએસ હુડ્ડાએ સર્જીકલ સ્ટ્રાઇકથી વધારે પ્રચાર પર કડક આલોચના કરી હતી. તેઓએ કહ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઇક જરૂરી હતી અને અમે લોકોએ આને કર્યું. મને નથી લાગતું કે આનો વધારે પ્રચાર થવો જોઇએ. સર્જિકલ સ્ટ્રાઇકથી એવું સમજવું જોઇએ કે હવે આતંક ખતમ થઇ ગયો હતો અથવા તો પાકિસ્તાન બાજ આવી જશે એ ખોટું છે.