ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આગ્રામાં મુઘલોની વિશેષ ઉપલબ્ધિઓને પ્રદર્શિત કરનારા 'મુગલ મ્યૂઝિયમ'નું નામ બદલી છત્રપતિ શિવાજીના નામ પર રાખવાનો નિર્ણય હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. તારિક ફતેહે કહ્યું કે તાજમહેલ ભારતીયોએ બનાવ્યો હતો અને દુનિયામાં એવો કોઇ દેશ નથી કે જેણે પોતાના પર હુમલા થયેલાઓને સન્માનિત કર્યાં છે.
સીએમ યોગીએ ટ્વિટ કરી કહ્યું હતું કે 'આગ્રામાં નિર્માણાધીન મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખાશે'. નવા ઉત્તર પ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિક ચિન્હનું કોઇ સ્થાન નથી. આપણા બધાના હિરો શિવાજી મહારાજ છે.
ઉત્તર પ્રદેશના આ નિર્ણય પછી મુગલકાલીન ઇતિહાસ પર એક વાર ફરી ચર્ચા તેજ બની છે. તેના પર પાકિસ્તાનના મૂળ વરિષ્ઠ પત્રકાર અને લેખક તારિક ફતેહ પણ પ્રતિક્રિયા આપી છે. કેનાડામાં રહેતા ફતેહે એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું જે લોકો ભારતને લૂટવા આવ્યા, આજે આપણે તેમને બાદશાહ તરીકે ઓળખીએ છીએ, ઉજવણી કરીએ છીએ. તેમણે કહ્યું 'બાબર ના ભારતમાં જન્મ્યો અને ના ભારતમાં મર્યો.' બાબરે ભારતમાં નફરત ફેલાવી અને હજારો-લાખો લોકની હત્યા કરી દીધી. આપણે તેને ભારતનો બાદશાહ માની શકીએ નહીં.
તારિક ફતેહે કહ્યું કે તાજમહેલ ભારતીયોએ બનાવ્યો હતો અને દુનિયામાં એવો કોઇ દેશ નથી કે જેણે પોતાના પર હુમલા થયેલાઓને સન્માનિત કર્યાં છે. આવું માત્ર ભારતમાં જ છે. તેમણે કહ્યું કે મોગલોએ શિખો, હિંદુઓ, મુસલમાનો અને શિયાઓ પર જુલ્મ કહેર કર્યો છે. તારિક ફતેહએ દાવો કર્યો છે કે દિલ્હીમાં બનેલ કુતુબ મીનારને 26 જૈન મંદિરને તોડીને બનાવામાં આવ્યો. તેને ઉજવણી મનાવામાં આવે છે. આપણું આત્મસન્માન હોવું જોઇએ.
ફતેહે કહ્યું કે ભારતને પહેલા સુલ્તાનોએ તબાહ કર્યા, લોકોને માર્યા. તેના અલગ ભારતમાં મોગલ-એ-આઝમ બનાવામાં આવી. મુગલ શબ્દ જ 'દુષિત' છે. આ મંગોલ સાથે જોડાયેલ છે, આ એ છે સમરકંદમાં કંઇ ન મળ્યું તો તૈમૂરના વંશજો અહીં (ભારત)માં આવીને લૂંટીને ચાલી ગઇ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રીય સંસ્કૃતિ તેમજ પર્યટન મંત્રી પ્રહલાદ સિંહ પટેલે પણ કુતુબ મીનારના ઇતિહાસ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ગત વર્ષે કહ્યું હતું કે કુતુબ મીનાર આપણી સંસ્કૃતિનું સૌથી મોટુ ઉદાહરણ છે. આ એક એવું સ્મારક છે જે 27 મંદિરોને તોડીને બનાવ્યું હતું.