ખંભાત તારાપુર માર્કેટયાર્ડ છેલ્લા ૩ દિવસથી બંધ છે. આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર તાલુકાના ડાંગરનો વેપાર કરતા વેપારીઓ અને રાઈસમીલના વ્યવસાયકારો સરકારી નીતિને કારણે હાલ ડાંગરના વેપાર કરનાર વેપારી અને ખંભાત તારાપુરના રાઈસમીલ વ્યવસાયકારો અચોક્કસ મુદતનું બંધનું એલાન આપી ડાંગરની ખરીદી અને વેપાર બંધ કર્યો છે. જેના કારણે ખંભાત તારાપુરના ખેડૂતો અને માર્કેટયાર્ડમાં મજૂરી કામ કરતા લોકોની મુશ્કેલી વધી છે.
તારાપુર માર્કેટયાર્ડ છેલ્લા ૩ દિવસથી બંધ
સરકારી નીતિના કારણે વિરોધ
ખેડૂત, સામાન્ય વર્ગની મુશ્કેલી વધી
ખંભાત અને તારાપુરના ખેડૂતોની મુશ્કેલી વધી છે. પહેલા અતિવૃષ્ટિનો માર ત્યારબાદ વાવાઝોડું જેના કારણે ડાંગર પકવતા ખેડૂતોને નુકશાન થયું હતું. તો હવે રાઈસમીલ વ્યવસાયકારોએ ડાંગરની ખરીદી સરકારી વેટના કારણે બંધ કરી. ખેડૂતોને પોતાની ડાંગર ખંભાત અને તારાપુર માર્કેટયાર્ડ બંધ હોવાને કારણે ક્યાં વેચવા જવું તે પ્રશ્ન ઉભો થયો છે. તો બંને માર્કેટયાર્ડના મજૂરો પણ ૩ દિવસથી બેકાર બન્યા છે.
ડાંગરની ખરીદી બંધ છે જેનું મુખ્ય કારણ રાઈસમીલ વ્યવસાયકારોની ડાંગર પરની સરકારે નાખેલ વેટ છે. સ્થાનિક ખંભાત અને તારાપુરના રાઈસમીલ વ્યવસાયકારો અને વેપારીઓના જણાવ્યા મુજબ સરકારે વેટ ડાંગરની કુસકી પર નાખેલ છે જેના કારણે તેમની વ્યવસાયની મૂશ્કેલી વધી છે.
મધ્ય ગુજરાતમાં અતિ ઉત્તમ ડાંગર પકવતા ખંભાત અને તારાપુરના રાઈસમીલ વ્યવસાયકારોને ડાંગરની કુસકી પર વેટના કારણે ડાંગરની ખરીદી બંધ કરી છે. જેને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી માટે ખેડૂતો અને રાઈસમીલ વ્યવસાયકારોને ઉત્તેજન મળે તે માટે વેટ મુદ્દે સરકાર કોઈ સાનુકૂળ ઉકેલ લાવે તે અનિવાર્ય છે.