ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનો રોલ નિભાવનાર ઘનશ્યામ નાયક સોશ્યલ મિડીયા પર ટ્રોલ થઇ રહ્યાં હતા. તેનો તેમણે સણસણતો જવાબ આપ્યો છે.
નટુકાકાની તબિયતને લઇને કર્યા ટ્રોલ
સોશ્યલ મિડીયા પર નટુ કાકા થયા ટ્રોલ
ઘનશ્યામ નાયકે આપ્યો જવાબ
થોડા સમય પહેલા હતા બિમાર
નટુ કાકા થોડા સમય પહેલા બિમાર હતા અને તેમના ગળાની સર્જરી થઇ હતી, જેના કારણે તે શૂટિંગથી દૂર હતા અને સ્વાસ્થ્ય સારુ થતાં ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ કરી દીધુ હતુ પરંતુ સોશ્યલ મિડીયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં હતા અને જેનો તેમણે જવાબ આપ્યો છે.
સોશ્યલ મિડીયા પર લોકો નટુ કાકા કમજોર દેખાઇ રહ્યાં હોવાથી તેમને ટ્રોલ કરી રહ્યાં હતા. લોકો કહી રહ્યાં હતા કે તે તેમની બિમારી છુપાવી રહ્યાં છે. ટ્રોલર્સને તેમણે સણસણતો જવાબ આપતા કહ્યું કે, કેટલાક લોકો સિનિયર એક્ટર્સ પ્રત્યે અસંવેદનશીલ હોય છે. હું લોકોને નિવેદન કરુ છુ કે તે નકારાત્મકતા ન ફેલાવે. જો હું આ રોલ માટે રાઇટ ચોઇસ ન હોત તો પ્રોડ્યુસર્સ મને આ રોલ માટે પસંદ જ ન કરતા, મે કોઇ જગ્યાએ વાંચ્યુ કે લોકો મારા ડ્રેસિંગ સેન્સ પર કમેન્ટ કરે છે. જેમની પાસે કામ નથી હોતુ તે જ આવી વાતો કરે છે. મને આ વાતોથી કોઇ ફર્ક નથી પડતો કારણકે હું ખુશ છું કે આ ઉંમરમાં પણ હું કામ કરુ છુ. જ્યાં સુધી મારુ શરીર કામ કરશે ત્યાં સુધી હું સેટ પર જઇશ.
તેમણે આગળ કહ્યું કે, સૌ એક દિવસ ઘરડા થશે, લોકોને બિમારીઓ થાય છે. ભગવાનની દયાથી હું કેન્સરમુક્ત થઇ ગયો છું. મે 10 ડિસેમ્બરના રોજ તારક મહેતા..નું શૂટિંગ કર્યુ હતુ. હું આ શોનો હિસ્સો બન્યો રહીશ. ભગવાનના આશીર્વાદ અને મારા પ્રોડ્યુસર અસિત કુમાર મોદીના સહયોગથી થયું છે.
કેન્સર વિશે આપી માહીતી
પોતાની બિમારી વિશે વાત કરતા નટુ કાકાએ કહ્યું કે મારા ગળામાંથી ગાંઠ નીકળી ગઇ છે અને ખબર નહી કેવી રીતે ગાંઠ બની ગઇ હતી. ટેસ્ટ કરવા માટે ગયો ત્યારે મને ભગવાન પર ભરોસો હતો. સર્જરી ચાર કલાક ચાલી હતી અને હું હવે સંપૂર્ણપણે ઠીક છું.